રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો ગ્રાફ નીચે ગયો છે. તો વળી કેસોમાં થતાં ઘટાડાને જોઈને દિલ્હીમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું
કેજરીવાલે જનતાને આપી મોટી રાહત
કોરોનાના તમામ પ્રતિબંધો હટાવ્યા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો ગ્રાફ નીચે ગયો છે. તો વળી કેસોમાં થતાં ઘટાડાને જોઈને દિલ્હીમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે. જેને લઈને દિલ્હીના ઉપરાજ્યપાલ સાથેની થયેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. DDMA ની આ બેઠકમાં મુખ્યમંત્રી કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સહિત કેટલાય અધિકારીઓ હાજર રહ્યા હતા. કોવિડની હાલતની સ્થિતી પર મીટિંગ દરમિયાન ખૂબ ચર્ચાઓ થઈ અને તમામ કોરોના પ્રતિબંધો હટાવા પર નિર્ણય કરવામાં આવ્યો. જો કે, આ છૂટ ત્યારે જાહેર કરવામાં આવશે, જ્યારે પોઝિટિવિટી રેટ 1 ટકાથી ઓછો હશે.
કેજરીવાલે ટ્વિટ કરીને તમામ પ્રતિબંધો હટાવાની જાણ કરી
તો વળી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, સોમવારથી દિલ્હીમાં તમામ કોરોના પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટમાં લખ્યું છે કે, ડીડીએમએ તમામ પ્રતિબંધઓ પાછા લઈ રહ્યું છે, કારણ કે, સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે અને લોકોને નોકરીએ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1 એપ્રિલથી સ્કૂલ સંપૂર્ણપણે ઓફલાઈન કામ કરવા લાગશે, માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ ભરવાનો રહેશે. કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. જેના પર સરકારની બાજનજર રહેશે.
દિલ્હીમાં થયેલી બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો
તમામ પ્રતિબંધો સોમવારથી હટાવી દેવામાં આવશે.
1એપ્રિલથી સંપૂર્ણપણે સ્કૂલો ખોલી દેવામાં આવશે.
માસ્ક ન પહેરવા પર 2000નો દંડથી ઘટાડીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યા
તમામ પ્રતિબંધો હટાવાનો અર્થ દિલ્હીમાં સોમવારથી નાઈટકર્ફૂયુ સહિત પ્રતિબંધો હટી જશે
બસ અને મેટ્રોમાં ઉભા રહીને પણ સફર કરી શકશો
દિલ્હીમાં દુકાનો અને રેસ્ટોરંટ ખોલવાની સમય સીમા ખતમ થશે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 556 નવા કેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 556 નવા કેસો સામે આવ્યા છે. તો વળી કોરોના સંક્રમણથી 6 લોકોના મોત થઈ ગયા છે. હાલમાં દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 2276 છે.