દેશના પાટનગર દિલ્હીમાં ગ્રીન દિવાળીના આહ્વાન વચ્ચે હવામાં પ્રદૂષણના સ્તરમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નહીં. દર વખતની જેમ આ વખતે પણ દિવાળી બાદ હવામાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. કેટલીક જગ્યાઓ પર પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતાં પણ વધારે જોવા મળ્યું.
દિવાળીના આગળના દિવસે પ્રદૂષણના સ્તરમાં ન જોવા મળ્યો ઘટાડો
જહાંગીરપુરીમાં AQI 360 તો આનંદ વિહારમાં 358 પર સ્તર
30 ઓક્ટોબર સુધી દિલ્હી-NCRમાં નિર્માણ કાર્ય પર પ્રતિબંધ
દિવાળી પર દિલ્હી-NCRમાં ફોડવામાં આવેલા ફટાકડાની અસર પ્રદૂષણના સ્તર પર જોવા મળી. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં પીએમ10 અને પીએમ 2.5 લેવલ 950 સુધી પહોંચી ગયું.
દિવાળીમાં ફટાકડા ફોડયા બાદ સવાર પડતાંની સાથે આ આંકડાઓ એકવાર ફરી પહેલાના સ્તર પર જોવા મળ્યાં. મોડી રાતના સમયે આઇટીઓ વિસ્તારમાં પીએમ 10 અને પીએમ 2.5નું સ્તર 900 સુધી પહોંચી ગયુ, જ્યારે સવારના સમયે આ આંકડો 255ના સ્તર પર જોવા મળ્યો. 255 પણ પ્રદૂષણના હિસાબે ખતરનાક સ્થિતિ છે.
દિલ્હીની સરખામણીએ મુંબઇમાં દિવાળી બાદ હવાનું સ્તર સારુ જોવા મળ્યું. મુંબઇના હાજી અલી વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર 50થી ઓછું જોવા મળ્યું જેનો અર્થ છે ત્યાં હવાનું સ્તર ઘણું 'સારુ' છે.
કેવી રીતે માપવામાં આવે છે AIQનો સ્તર
એક જાણવા જેવી વાત છે કે AIQ જો 0થી 50 વચ્ચે હોય તો સારો, 51 તી 100 વચ્ચે સંતોષજનક, 101થી 200 મધ્યમ, 201 થી 300 ખરાબ, 301 થી 400 ઘણો ખરાબ અને 401 થી 500 વચ્ચે ખતરનાક માનવામાં આવે છે.