દિલ્હીની હવા ઝેરી થઈ ગઈ છે. દિલ્હીમાં આગલા 2 દિવસે વાયુ પ્રદુષણ અનેક ગણું વધવાની આશંકા છે.
દિલ્હી પર એક વાર ફરી શ્વાસનું સંકટ
દિલ્હીમાં આગલા 2 દિવસે વાયુ પ્રદૂષણ અનેક ગણું વધવાની આશંકા
પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિ પર તત્કાલ કાર્યવાહી કરવાની જરુર- અનુમિતા રોયચૌધરી
દિલ્હી પર એક વાર ફરી શ્વાસનું સંકટ
દેશની રાજધાની દિલ્હી પર એક વાર ફરી શ્વાસનું સંકટ તોડાઈ રહ્યું છે. દિલ્હીમાં આગલા 2 દિવસે વાયુ પ્રદૂષણ અનેક ગણું વધવાની આશંકા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે દિલ્હીમાં એર લોકની સ્થિતિ રહેવાની છે. વિશેષજ્ઞો તરફથી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિ પર તત્કાલ કાર્યવાહી કરવાની જરુર- અનુમિતા રોયચૌધરી
વિજ્ઞાન તથા પર્યાવરણ કેન્દ્ર (સીએસઈ)એ કહ્યું કે ઝાકળ એક સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમરજન્સી સ્થિતિ છે. સીએસઈની કાર્યકારી નિર્દેશક (અનુસંધાન) અનુમિતા રોયચૌધરીએ કહ્યું કે આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે તે મોર્ચા પર તત્કાલ કાર્યવાહીની જરુર છે. જેનાથી પ્રદૂષણ વધારે ફેલાય છે. જેમ કે વાહનોથી કેટલાક ઉદ્યોગોથી, પરાળી( ઠુઠા) સળગાવવાથી.... ત્યારે ભવન નિર્માણ, સડક જેવા ધૂળ ફેલાવનારા સ્ત્રોતો પર તત્કાલ કાર્યવાહી કરવાની જરુર છે. સીએસઈએ કહ્યું કે દિલ્હી એનસીઆરમાં હાજર કેર આવનારા 2-3 દિવસ સુધી ચાલુ રહી શકે છે.
શું છે સ્થિતિ
ગુરુવારે રાજધાનીનું પ્રદૂષણ સ્તર ફરી એક વાર ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. પ્રદૂષણ સ્તર 411 પર પહોંચી ગયું છે. એનસીઆર અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોની સ્થિતિ રાજધાનીથી ખરાબ રહી. આગ્રા અને બાગપતમાં એક્યૂઆઈ 437, બલ્લભગઢમાં 431, ભિવાડીમાં 410 , બુલંદશહેરમાં 447, ફરીદાબાદ 412, ફિરોઝાબાદમાં 415, ગાજિયાબાદમાં 461, ગ્રેટર નોઈડામાં 417, હાપુડમાં 427 , હિસારમાં 422, નોઈડામાં 434 અને વૃંદાવન 458 પર રહ્યો છે.