દિલ્હીની હવા લોકોને બિમાર કરી રહી છે. પ્રદૂષણના કારણે બાળકોને એલર્જી થઈ રહી છે.
પ્રદૂષણના કારણે બાળકોને એલર્જી થઈ રહી છે
દિલ્હીની હવા લોકોને બિમાર કરી રહી છે
ઓપીડીમાં 20 ટકાથી વધારે બાળકો, એલર્જી, દમ, શ્વાસમાં સમસ્યા
પ્રદૂષણના કારણે બાળકોને એલર્જી થઈ રહી છે
દિલ્હીની હવા લોકોને બિમાર કરી રહી છે. બાળકો પર પ્રદૂષણથી ઘણી ખરાબ અસર પડી રહી છે. ખાસ કરીને જે બાળકો પહેલાથી બિમાર છે. અસ્થમાથી પીડિત છે. તેમના અસ્થમા અટેક વધી ગયા છે. પ્રદૂષણના કારણે બાળકોને એલર્જી થઈ રહી છે. કોલ્ડ કફ થઈ રહ્યો છે. ઈરિટેશન અને નિમોનિયા થઈ રહ્યો છે. ઓપીડીમાં ગત કેટલાક દિવસોમાં 15થી 20 ટકા બાળકોને પ્રદૂષણથી સંબંધિત સમસ્યાના મામલા આવી રહ્યા છે. સમસ્યા એટલી વધી ગઈ છે કે કેટલાકને એડમિટ કરવા પડી રહ્યા છે. તો કેટલાકને આઈસીયૂમાં રાખવા પડી રહ્યા છે.
ઓપીડીમાં 20 ટકાથી વધારે બાળકો, એલર્જી, દમ, શ્વાસમાં સમસ્યા
મહારાજા અગ્રસેન હોસ્પિટલના પીડિયાટ્રિક ડોક્ટર હરીશ ચૌધરીએ જણાવ્યું કે પ્રદૂષણના કણ બાળકોને બિમાર કરી રહ્યા છે. લંગ્સમાં ઈરિટેશન, શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે. જે બાળકો પહેલાથી બિમાર છે તેમને અસ્થમા છે. તેમને વધારે સમસ્યા થઈ રહી છે. તેમને પહેલાથી વધારે અસ્થામાંનો અટેક આવી રહ્યો છે. નિમોનિયા થઈ રહ્યો છે. ઈમ્યૂનિટી નબળી થઈ રહી છે. ત્યારે મણિપાલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના એચઓડી ડોક્ટર વિકાસ તનેજાએ કહ્યું કે હાલ ઓપીડીમાં 20 ટકાથી વધારે બાળકો, એલર્જી, દમ, શ્વાસમાં સમસ્યા આવી રહી છે.
સારવાર લેનારા બાળકોમાં 2થી 14 વર્ષની વચ્ચે
ગત વર્ષની સરખામણી કરતા ડો. વિકાસે કહ્યું કે જે બાળકો અસ્થમાથી પીડિત છે તેમને ગત વર્ષ એટલી સમસ્યા નહોંતી થઈ. ક્યાંકને ક્યાંક પ્રદૂષણ આ માટે જવાબદાર છે. લોકડાઉનના કારણે બાળકો ઘરમાં જ હતા. હવે બાળકો બહાર નિકળી રહ્યા છે જેથી તેની અસર જોવા મળી રહી છે. તો આકાશ હોસ્પિટલના પીડિયાટ્રિક ડો. સઈદ હસને કહ્યું કે નિશ્ચિત રુપથી પ્રદૂષણની અસર બાળકો પર થઈ રહી છે. સરેરાશ રોજ ઓપીડીમાં 15થી 20 બાળકો પ્રદૂષણના કારણે થયેલી સમસ્યાને કારણે આવી રહ્યા છે. દિવાળી બાદ આ સંખ્યા પહેલાથી વધી ગઈ છે . સારવાર લેનારા બાળકોમાં 2થી 14 વર્ષની વચ્ચે છે.
પ્રદૂષણથી બાળકો પર અસર
લંગ્સમાં ઈરિટેશન, એલર્જી, શ્વાસ લેવામાં સમસ્યા, અસ્થામાનું અટેક વધવા, કફ થવો, માથાનો દુખાવો, નાક બંધ, લોન્ગ ટર્મની અસરનો ખતરો, શ્વાસ લેવામાં ક્ષમતા ઓછી થવી, ખેલકુદ કરવામાં શ્વાસ ફુલવાની સમસ્યા. અક્યૂટ અસ્થમા અટેક, હંમેશા રેસ્પિરેટ્રી ઈન્ફેક્શન, સેકન્ડરી ઈન્ફેક્શનનો ખતરો વધવો, આખી જિંદગી એલર્જી થઈ શકે છે બાળકોના વિકાસ પર અસર થઈ શકે છે. લાઈફ ઓછી થઈ શકે છે. ન્યૂટ્રિશન ખરાબ થઈ શકે છે. ઈમ્યૂનિટી નબળી થઈ શકે છે. કેન્સર પણ થઈ શકે છે.