ડોક્ટરે કહી દીધુ કે વિટામિન સીની ગોળી લેવી. બસ પછી તો 2019થી લઇને આજદિન સુધી કરોડો રુપિયાની લોકો વિટામિન સી ગોળીઓ આરોગી ગયા
કોવિડથી બચવા વિટામિન્સની દવા લેવાનુ વધ્યુ પ્રમાણ
મોટી સંખ્યામાં લોકો વિટામિન સીની દવા લઇ રહ્યા છે
વર્ષ 2019ની તુલનાએ 110 ટકા વિટામીન સીની દવા વેચાઇ
દેશમાં 2019થી કોરોનાએ કહેર મચાવવાનું શરુ કરી દીધુ હતુ. ડોક્ટર કોરોનાથી બચવા માટે વિટામિન પુરતા પ્રમાણમાં લેવાની સલાહ આપતા. તેમાં પણ વિટામિન સીની માત્રા વધારે હોવાનો આગ્રહ રહેતો. તે પછી તો લોકોએ હરતા ફરતા વિટામિનની ગોળીઓ લેવાનું શરુ કરી દીધુ. એક સરવે અનુસાર 2019થી લઇને આજ દિન સુધી મેડિકલમાંથી 185 કરોડની માત્ર વિટામિન સીની દવાનું વેચાણ થયું. છેને નવાઇની વાત. આ આંકડો વર્ષ 2019ની તુલનાએ 100 ટકાનું વેચાણ વધારે છે.
185 કરોડની વિટામીન સીની દવાનું વેચાણ
બે વર્ષ થયા બાદ પણ કોરોનાના દર્દીઓ આવી બિનઅસરકારક દવાઓનો વપરાશ ઓછો નથી કરી રહ્યા. ક્યાંક રાજ્ય સરકાર પણ દર્દીને હોમ આઇસોલેશનમાં દરરોજ મલ્ટીવિટામિન્સ ખાવાની સલાહ આપી રહી છે, તો હોસ્પિટલોમાં રિકવર થયેલા દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં વિટામિનની દવાઓ લખી આપવામાં આવે છે. આવા પ્રિસ્ક્રિપ્શનો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ઝડપથી પ્રસારિત થઈ રહ્યા છે.
દિલ્હી AIIMSના ડોક્ટરોએ ચિંતા કરી વ્યક્ત
દેશના આ અલગ-અલગ પ્રિસ્ક્રિપ્શનો પર નવી દિલ્હી સ્થિત AIIMSના ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયાની સાથે મેડિકલ ક્લાસ પણ આવી પ્રેક્ટિસ કરી રહ્યો છે, જેની ક્યારેય અપેક્ષા નહોતી. આ સાથે, કોવિડ પ્રોટોકોલની અવગણના કરીને, રાજ્ય સરકારો પણ ખોટી માર્ગદર્શિકા જાહેર કરી રહી છે.
કોરોનાના દર્દીઓ પર મલ્ટીવિટામિન દવાની અસરના કોઇ પુરાવા નહી
AIIMSના પલ્મોનરી વિભાગના ડૉ. સૌરભ મિત્તલે જણાવ્યુ કે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી કોવિડથી સાજા થયેલા દર્દીઓ પર વિટામિન ડી, વિટામિન સી, મલ્ટીવિટામિન અથવા ઝિંક દવાઓની અસરકારકતાના કોઈ પુરાવા સામે આવ્યા નથી. તેમણે એમ પણ સલાહ આપી કે દર્દીની તપાસ કર્યા વગર એમનેમ જ આવી વિટામિન્સની દવા લેવી જોખમી છે.
સ્ટિરોઇડની જેમ આ દવાઓ નુકસાન કરી શકે
પ્રો. અંજન ત્રિખા કહે છે કે જો સોશિયલ મીડિયાએ લોકોને મદદ કરીને રોગચાળામાં સકારાત્મક ભૂમિકા ભજવી છે, તો તેણે ડ્રગના ઓવરડોઝને વધારવામાં પણ નકારાત્મક ભૂમિકા ભજવી છે. જે રીતે દેશમાં સ્ટીરોઈડની આડઅસરથી બ્લેક ફંગસ જોવા મળ્યુ તેવી જ રીતે આ દવાઓના ઉપયોગથી ગંભીર આડઅસરો પણ થઇ શકે છે.
કોરોના સંક્રમિતોને વિટામિન્સ આપવા જરુરી નહી
પલ્મોનરી વિભાગના વડા ડૉ.અનંત મોહન કહે છે કે વિટામિન ડી અથવા મલ્ટિ-વિટામિન દવાઓ એવા દર્દીઓને આપવામાં આવે છે જેમાં તેમની ઉણપ હોય. જો કે કે મોટાભાગની વસ્તીમાં થોડા સમય પછી આ વિટામિન્સની ઉણપ થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે જો આ વસ્તી કોવિડથી સંક્રમિત છે, તો તેણે વિટામિન્સ આપવી જોઈએ. આ બિલકુલ ખોટું છે. જ્યારે દર્દી ડૉક્ટર પાસે આવે છે, પછી ભલે તે કોવિડ સંક્રમિત હોય કે બિન-કોવિડ. સૌ પ્રથમ તે તપાસવું જરૂરી છે. ત્યાર બાદ જ વિટામિનની દવાઓ આપી શકાય.
બે વર્ષમાં કરોડોનો બિઝનેસ
ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી)એ દેશમાં 8.50 લાખ દવાની દુકાનો પર સર્વે કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યુ કે વર્ષ 2020માં કોરોના રોગથી બચવા માટે દેશમાં વિટામિન સીની 185 કરોડ ગોળીઓ વેચાઈ હતી, જે વર્ષ 2019ની સરખામણીએ લગભગ 100% વધારે છે. વર્ષ 2020માં વિટામિન સીના સપ્લિમેન્ટનું વેચાણ 110 ટકા હતુ જે વર્ષ 2019માં માત્ર 4.7 ટકા જ હતું. એબોટ હેલ્થકેરની લિમ્સી અને કો ફાર્માની સેલિન સૌથી વધુ વેચાતી વિટામીન સીની બ્રાન્ડ્સ છે.