દિલ્હીમાં મંગોલપુરીમાં એક ઘરમાં સિલેન્ડરથી ગેસ લીક થતા ભીષણ આગ લાગતા 13 લોકો આગની ઝપેટમાં આવ્યા.
એક ઘરમાં સિલેન્ડરથી ગેસ લીક થતા ભીષણ આગ
13 લોકો આગની ઝપેટમાં આવ્યા
સાવિત્રી ગેસ સિલેન્ડર બદલી રહ્યા હતા ત્યારે ગેસ લીક થયો
એક ઘરમાં સિલેન્ડરથી ગેસ લીક થતા ભીષણ આગ
દિલ્હીમાં મંગોલપુરી વિસ્તારમાં એક ઘરમાં સિલેન્ડરથી ગેસ લીક થતા ભીષણ આગ લાગી હતી. જ્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવાય ત્યાં સુધીમાં 13 લોકો આગની ઝપેટમાં આવી થઈ ગયા હતા. આગમાં ફસાયેલા લોકોને જેમ તેમ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
શનિવારે સાંજે લગભગ 6 વાગે સિલેન્ડરમાંથી ગેસ લીક થવા પર આગ લાગી
ઉલ્લેખનીય છે કે મંગાલરપુરી વિસ્તારમાં એક ઘરમાં શનિવારે સાંજે લગભગ 6 વાગે સિલેન્ડરમાંથી ગેસ લીક થવા પર આગ લાગી હતી. જોત જોતામાં તેણે વિકરાળ રુપ ધારણ કર્યુ હતુ. જેનાથી વિસ્તારમાં હડકંપ મચ્યો હતો. સ્થાનીક લોકોએ તાત્કાલીક પોલીસને ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી.
13 લોકો આગની અડફેટે ગયા હતા
સૂચના મળતા જ મંગોલપુરીથી પોલીસની ટીમ અને 2 ફાયર ફાઈટર સ્થળ પર પહોંચ્યા હતા. થોડીક વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં 13 લોકો આગની અડફેટે ગયા હતા. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને મામલામાં આગળની તપાસ જારી છે.
સાવિત્રી ગેસ સિલેન્ડર બદલી રહ્યા હતા ત્યારે ગેસ લીક થયો
જે ઘરમાં આગ લાગી છે તેના માલિકનું નામ ગણેશ છે. જાણકારી મુજબ તેમની પત્નિ સાવિત્રી ગેસ સિલેન્ડર બદલી રહી હતી. તે સમયે ગેસ લીક થયો અને ક્ષણવારમાં આગ લાગી. ઘટનામાં ઘાયલ લોકોને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ઘટનામાં સાવિત્રી, તેમના દિકરા અને 2 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તેમને સફદરજંગ હોસ્પિટલ રિફર કરાયા છે.