મહારાષ્ટ્રના 4 જિલ્લામાં કોવિડ-19 વેન્ટિલેટર બેડ ફૂલ થયા
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે શનિવારે રાજ્યોના મુખ્ય સચિવો સાથેની મુલાકાતમાં જણાવ્યું કે ફાઈનલ રિપોર્ટ આવતા સુધી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોની ઓળખ કરીને તેમને આઈસોલેટ ન કરવાને કારણે પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. મહારાષ્ટ્રના 4 જિલ્લા એવા છે જ્યાં હોસ્પિટલોમાં 50 ટકા કરતા પણ વધારે કોવિડ-19 વેન્ટિલેટર બેડ ભરાઈ ગયા છે. પંજાબમાં પણ હોસ્પિટલમાં ભરતી થયાના 48 થી 72 કલાકની અંદર વધારેમાં વધારે મોત થઈ રહ્યાં છે જેની પાછળનું કારણ હોસ્પિટલમાં દર્દીઓને મોડા પહોંચાડવાનું હોઈ શકે. પૂણેમાં 70 ટકા બેડ ભરાઈ ગયા છે. આ એ વાતનો સંકેત છે કે દર્દીઓ મોડેથી હોસ્પિટલ પહોચી રહ્યાં છે. નાગપુરની પણ આ જ સ્થિતિ છે.
આરોગ્ય સચિવે રાજ્યોને નીચેના પાંચ ઉપાયો કરવાથી કોરોના કાબૂમાં આવશે તેવું પણ જણાવ્યું છે.
(1) ટેસ્ટિંગમાં અસાધારણ વધારો કરવો
(2) અસરકારક આઈસોલેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગ
(3) હેલ્થકેર વર્કર્સમાં નવશક્તિ સંચાર કરવી
(4) લોકો પાસે કોરોનાના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાવવું
(5) રસીકરણનો લક્ષિત અભિગમ સાધવો
રાજેશ ભુષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવોને જણાવ્યું કે 46 જિલ્લાઓની ઓળખ કરાઈ છે અને તેમને કડકમાં કડક કન્ટેનમેન્ટ તથા જાહેર આરોગ્યના પગલાં ભરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવાયું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવાયું કે માર્ચ 2021 માં આ 46 જિલ્લામાં કોરોનાના 71 ટકા કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 25 જિલ્લામાં 59.8 ટકા નવા કેસો સામે આવ્યાં છે.