ઉત્તરાખંડ સરકાર પોતાના સ્તર પર રાજ્યમાં ભૂમિ કાયદો બનાવવા માટે કેટલીક સૂચનાઓ અને તથ્ય ભેગા કરી રહી છે.
જમીન કાયદાની કવાયદ દિનપ્રતિ દિન તેજ કરી રહી છે ઉત્તરાખંડ સરકાર
ઉત્તરાખંડ સરકાર હિમાચલ પ્રદેશના આ જ પ્રકારના કાયદાને ભેગા કરી રહી
રાજ્યના યુવાઓએ ‘ઉત્તરાખંડ માંગે ભૂ કાનૂન’નામથી આંદોલન શરુ કર્યું
જમીન કાયદાની કવાયદ દિનપ્રતિ દિન તેજ કરી રહી છે ઉત્તરાખંડ સરકાર
ઉત્તરાખંડમાં જમીન કાયદાની કવાયદ દિનપ્રતિ દિન તેજ થઈ કહી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ઉત્તરાખંડ સરકાર પોતાના સ્તર પર રાજ્યમાં ભૂમિ કાયદો બનાવવા માટે કેટલીક સૂચનાઓ અને તથ્ય હિમાચલ પ્રદેશના આ જ પ્રકારના કાયદાને ભેગા કરી રહી છે. રાજ્યમાં ભૂમિની ખરીદી ફરોખ્તમાં ક્ષેત્રીયતાના આધાર પર કોઈ ભેદ નહીં હોવાની નીતિને ખતમ કરવા માટે કાયદો બનાવવા જઈ રહી છે ઉત્તરાખંડની 3 સભ્યોની એક કમિટી બનાવી છે. જે આ અંગે જરુરી અધ્યન બાદ પોતાનો રિપોર્ટ સોંપશે. બાદમાં સરકાર આના આધાર પર નિર્ણય કરશે.
ઉત્તરાખંડ સરકાર હિમાચલ પ્રદેશના આ જ પ્રકારના કાયદાને ભેગા કરી રહી
કમિટીના ચેરમેન અને રિટાયર્ડ આઈએએસ અધિકારી સુભાષ કુમારના હવાલાથી એનઆઈઈએ એક રિપોર્ટમાં લખ્યું કે અમે હિમાચલના લેન્ડ લોમાંથી કેટલીક માહિતી ભેગી કરી રહ્યા છીએ. આ કમિટી આ અંગે ભલામણ કરશે કે કેવી રીતે સ્થાનીક વસ્તી માટે જમીન પર અધિકાર સંરક્ષિત કરી શકાય છે. એ પણ વિકાસના કાર્યોમાં વિધ્ન નાંખ્યા વગર. ઉલ્લેખનીય છે કે આ કમિટી ત્યારે બનાવવામાં આવ જ્યારે ઉત્તરાખંડના યુવાઓએ બહારના રાજ્યોના લોકો દ્વારા ઉત્તરાખંડમાં જમીન ખરીદીના વિરોધમાં આંદોલન શરુ કર્યુ.
ઉત્તરાખંડમાં હાલ શું છે નિયમ કાયદા
પહાડી વિસ્તારમાં રાજ્યમાં હાલમાં કોઈ પણ નગરપાલિકા સીમા અથવા કેન્ટ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી શકાય છે. એક નિયમ હેઠળ નગરપાલિકાના દાયદાની બહાર 250 વર્ગમીટરથી વધારે કૃષિ ભૂમિ ન ખરીદી શકે. પરંતુ આ નિયમમાં સત્તાવાર સરકારી અધિકારી અને ડીએમ છૂટ કે પરવાનગી આપી શકે છે. ઉત્તરાખંડમાં અન્ય રાજ્યોના લોકોને કૃષિ ભૂમિની ખરીદીમાં રાહત પર્યટન નીતિ હેઠળ આપી શકાય છે. એટલે કે ઉત્તરાખંડના પ્રવાસનમાં પ્રોત્સાહનને કોઈ પ્રોજેક્ટ જો રોજગાર પણ પૈદા કરે છે તો તેને આ નીતિમાંથી રાહત મળી શકે છે.
રાજ્યના યુવાઓએ ‘ઉત્તરાખંડ માંગે ભૂ કાનૂન’નામથી આંદોલન શરુ કર્યું
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં રાજ્યના યુવાઓએ ‘ઉત્તરાખંડ માંગે ભૂ કાનૂન’નામથી આંદોલન શરુ કર્યું. જેમાં કલાકાર, કાર્ટુનિસ્ટ પણ જોડાયા. એટલું જ નહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આને મુદ્દા તરીકે ઉઠાવ્યો છે. આ બાદ ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે આ દિશામાં પગલા ભરવાની તૈયારી કરી છે.