બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દહેગામની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિજનોને આર્થિક સહાય, PM નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત
Last Updated: 04:39 PM, 14 September 2024
ગણેશ વિસર્જનમાં ડૂબવાથી દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે 8 લોકોના મોત થયા હતા. મેશ્વો નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી 10 લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત થયા હતા. જે દૂર્ઘટનાના પગેલ PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું તેમજ મૃતકના સંબંધીને PMNRFમાંથી રૂપિયા 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે
ADVERTISEMENT
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the drowning incident in Dehgam, Gujarat. The injured would be given Rs. 50,000. https://t.co/Egvnq7Vlnr
— PMO India (@PMOIndia) September 14, 2024
PM મોદીએ સહાયની જાહેરાત કરી
ADVERTISEMENT
PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના. વધુ એક ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે, ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં દરેક મૃતકના સંબંધીઓને PMNRF માંથી રૂપિયા 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.
ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના….
— Narendra Modi (@narendramodi) September 13, 2024
ૐ શાંતિ….॥
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શ્રદ્ધાજલિં
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ દહેગામના સોગઠી ગામે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાજલિં પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામના 8 યુવાનો નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી મૃત્યુ પામવાના સમાચારથી અંત્યત દુ:ખની લાગણી અનુભવુ છું. આ અણધારી વિદાયથી તેમના પરિવાર પર આવેલી આફતથી વ્યથિત છું. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને તેમના શ્રીચરણમાં વાસ આપે તેમજ તમામ પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે.
આજે ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામના 8 યુવાનો નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી મૃત્યુ પામવાના સમાચારથી અંત્યત દુ:ખની લાગણી અનુભવુ છું. આ અણધારી વિદાયથી તેમના પરિવાર પર આવેલી આફતથી વ્યથિત છું. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને તેમના શ્રીચરણમાં વાસ આપે તેમજ તમામ પરિવારજનોને આઘાત…
— Amit Shah (@AmitShah) September 13, 2024
આ પણ વાંચો: 27 નિર્દોષોનો ભોગ લેનાર મનસુખ સાગઠિયાનો બંગલો થશે જમીનદોસ્ત! મનપાએ મંગાવી વિગતો
5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો
અત્રે જણાવીએ કે, 8 મૃતકમાંથી 7 લોકો વાસણા સોગઢી ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય 1 કપડવંજ તાલુકાના વાધાવત ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાને લઇને ચકચાર મચી છે. ગણેશ વિસર્જન જ્યારથી શરૂ થયું છે ત્યારથી યુવકોના ડૂબવાની ઘટના સામે આવી રહી છે. 8 તારીખથી લઇને ગઈકાલ સુધીના 5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.