ગુજરાત બોર્ડ સિવાય અન્ય વિદ્યાર્થીઓ પણ ડિગ્રી ઇજનેરી કોર્સ માટે કરાવી શકશે રજિસ્ટ્રેશન . 30 જૂન સુધી કરાવી શકાશે રજિસ્ટ્રેશન
ડિગ્રી એન્જિનિયરીંગ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા
પ્રવેશ પ્રક્રિયા માટેનો કાર્યક્રમ કરાયો જાહેર
આજથી 30 જૂન સુધી કરાવી શકાશે રજિસ્ટ્રેશન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થઇ ગયુ છે જે બાદ ડિગ્રી ઈજનેરીના કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ આજથી 30 જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આગામી 6 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જ્યારે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ 25 જુલાઈના રોજ બહાર પાડવામાં આવશે. ડિગ્રી ઈજનેરીમાં પ્રથમ રાઉન્ડ બાદ 28 જુલાઈથી એકેડેમિક ટર્મ શરૂ કરી દેવામાં આવશે.
ગત વર્ષ કરતા 2હજાર બેઠકોનો ઘટાડો
આ વર્ષે 64 હજાર 262 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં ગત વર્ષ કરતાં 2 હજાર બેઠકોનો ઘટાડો કરાયો છે. સાથે જ સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં નવી 600 બેઠકો વધારવામાં આવી છે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 35 હજાર બેઠક ખાલી રહેવાની શક્યતા છે. ઉપરાંત આ વર્ષે B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નવા કોર્સનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે GLS યુનિવર્સિટી અને અનંત યુનિવર્સિટીનો કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ
30મેથી 30 જૂન
ઓનલાઇન રજિસ્ટ્રેશન
6 જુલાઇ
પ્રોવિઝનલ મેરિટ અને સીટ મેટ્રિક
6થી 11 જુલાઇ
મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ
14 જુલાઇ
મોક રાઉન્ડ પરિણામ
14થી 20 જુલાઇ
પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ
25 જુલાઇ
પ્રથમ રાાઉન્ડ સીટ એલોટમેન્ટ
28 જુલાઇ
શૈક્ષણિક સત્રનો પ્રારંભ
25 જુલાઇથી 2 ઑગષ્ટ
પ્રવેશ કન્ફર્મ કરવા ફી ચૂકવણી
4 ઑગષ્ટ
ખાલી બેઠકો જાહેર થશે
કુલ 64262 બેઠકો પર પ્રવેશ હાથ ધરાશે
એઆઈસીટીઈના નવા નિયમો મુજબ આ વર્ષે A ગ્રૂપ, B ગ્રૂપ અને AB ગ્રૂપ એમ ત્રણેય ગ્રૂપના વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે. પરંતુ B ગ્રૂપના વિદ્યાર્થીઓ નક્કી કરાયેલી 19 જેટલી બ્રાંચોમાં જ પ્રવેશ લઈ શકશે. ગુજકેટના આધારે સરકારી ગ્રાન્ટેડ કોલેજોની 95 ટકા અને ખાનગી કોલેજો તેમજ યુનિવર્સિટીઓની 50 ટકા બેઠકો પર પ્રવેશ મળશે. જ્યારે જેઈઈના આધારે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 5 ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે હાલની સ્થિતિએ કુલ મળીને 64262 બેઠકો પર પ્રવેશ હાથ ધરાશે.
ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ પણ કરી શકશે રજિસ્ટ્રેશન
માત્ર ગુજરાત બોર્ડના જ વિદ્યાર્થી નહી પરંતુ સીબીએસઈ, આઈએસસીઈ, એનઆઈઓએસ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે. હાલમાં અન્ય બોર્ડના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યુ નથી આથી તેઓ સ્કૂલ લિવિંગ કથા બોનાફાઇડ સર્ટિ કે પછી આધારકાર્ડ અપલોડ કરીને રજિસ્ટ્રેશન કરી શકાશે. જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા પાસ કરી છે તેઓએ તમામ માર્કશીટ અપલોડ કરવી પડશે.