જો પગમાં દુખાવાને કારણે ચાલવા-ફરવામાં તકલીફ પડે છે, તો અમે અહી તમને જણાવશું કે તમારા શરીરમાં ક્યા વિટામિનની અછત હોઈ શકે છે.
પગમાં દુખાવાને કારણે આપણા જીવન પર ખૂબ જ અસર પડે છે. અમુક લોકોને તો પગમાં એટલો દુખાવો રહે છે કે તેમને ચાલવા-ફરવામાં પણ તકલીફ પડે છે. આવામાં આ સમસ્યાને દૂર કરવા માટે ઘણા લોકો જાતજાતના ઉપાયો અપનાવે છે, પરંતુ કઈ જ પરિણામ મળતું નથી. આનું કારણ તમારા શરીરમાં પોષકતત્વોની અછત હોઈ શકે છે. શરીરમાં પોષકતત્વોની અછત પગમાં દુખાવાનું પ્રમુખ કારણ હોઈ શકે છે. આવામાં અમે તમને જણાવશું કે પગમાં દુખાવાથી શરીરમાં ક્યા પોષકતત્વોની અછત હોઈ શકે છે.
આયરનની અછત
શરીરમાં આયરનની અછતથી તમારા પગમાં દુખાવો રહી શકે છે. શરીરમાં આયરનની અછત થવા પર લેગ્સ સિન્ડ્રોમ પેઈન થઇ શકે છે. આ સ્થિતિ મોટેભાગે ગર્ભવતી મહિલાઓમાં જોવા મળે છે. આ ઉપરાંત અમુક ખોરાક તથા થેરાપીના માધ્યમથી શરીરમાં આયરનની અછતને દૂર કરવાની કોશિશ કરી શકાય છે.
વિટામિન બી 12
શરીરમાં વિટામિન બી12ની અછતથી પણ તમારા પગમાં દુખાવાની સંભાવના વધી જાય છે. અસલમાં, વિટામિન બી12 આપણા શરીરમાં રેડ બ્લડ સેલ્સ તથા તંત્રિકા તંત્રના કાર્યને સુધારવા ઉપરાંત અન્ય ગતિવિધિઓમાં પણ મદદગાર બને છે. આવામાં શરીરમાં વિટામિન બી12 ઓછું થવા પર નબળાઈ તથા થાક લાગે છે. એટલા માટે જ વિટામિન બી12થી ભરપૂર આહાર જેમકે માછલી તથા શેલફીશ, દૂધ, ઈંડા જેવા ખોરાકો શામેલ કરો, જેથી તમારા શરીરને લાભ થશે.