ભારત-ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તણાવપૂર્ણ માહોલ વચ્ચે રાજનાથ સિંહ રશિયાની મુલાકાતે જવાના છે. રક્ષા મંત્રી શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે.
તણાવપૂર્ણ માહોલ વચ્ચે રાજનાથ સિંહ રશિયાની મુલાકાતે
રક્ષા મંત્રી શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં લેશે ભાગ
4 સપ્ટેમ્બરે મોસ્કો ખાતે યોજાવાની છે બેઠક
ભારત-ચીન વચ્ચે ચાલી રહેલ તણાવ પર થઇ શકે છે ચર્ચા
આ બેઠક 4 સપ્ટેમ્બરે મોસ્કો ખાતે યોજાવાની છે. બેઠકમાં ભાગ લેવા રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે રવાના થશે. 4 સપ્ટેમ્બરે બેઠક બાદ 5 સપ્ટેમ્બરે રક્ષા મંત્રી ભારત ફરશે.
ભારત અને ચીન વચ્ચે હાલ બોર્ડર પર જે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને રાજનાથ સિંહની વિદેશની બેઠક મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં
ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે સતત ત્રીજા દિવસે ચીને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે ભારતીય સેનાની સતર્કતાને કારણે તેમને નિષ્ફળતા જ હાથ લાગી છે. ભારત અને ચીનનું સેન્ય કાલા ટોપ હિલ પર ફાયરિંગ રેન્જમાં તૈનાત છે. જેના કારણે દેશવાસીઓમાં ચિંતા વધી છે. ચીન વારંવાર અવળચંડાઈ કરવું આવ્યું છે. જેને લઈને અમેરિકાએ પણ કહ્યું છે કે બન્ને દેશના આ તણાવ પર તેમની નજર છે.
જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાથી લડી રહ્યું છે દેશની અર્થવ્યવસ્થા કોરોનાને કારણે કથળી ગઈ છે. બીજી તરફ સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ભારે નુકશાન ભોગવી રહ્યા છીએ તે તમામ સમસ્યા વચ્ચે ચીન દ્વારા ઉભી કરવામાં આવેલી બોર્ડરની સમસ્યાએ દેશની ચિંતામાં વધારો કર્યો છે.