રક્ષા મંત્રી રાજનાથ સિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને સેનામાં ભરતી અંગેની મોટી જાહેરાત કરી છે, તેમણે ભારતીય સેનામાં અગ્નિપથ ભરતી યોજના અંગેની જાહેરાત કરી હતી. તો આવો જાણીએ શું છે આ ભરતી યોજના.
મોદી સરકારની મોટી જાહેરાત
સેનામાં ભરતી અંગેની રક્ષામંત્રીએ કરી જાહેરાત
ભરતી માટેના નિયમોમાં ફેરફાર કર્યો
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષણ દળ માટે 'અગ્નિપથ ભરતી યોજના'ની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા. 'અગ્નિપથ ભરતી યોજના' હેઠળ, ત્રણેય સેવાઓમાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે.
Women will also be inducted into armed forces under Agnipath scheme: Navy chief Admiral R Hari Kumar
વય પ્રોફાઈલ ઘટી જશે- 35 વર્ષ નહીં પણ 25 વર્ષની નોકરી
રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે 'અગ્નિપથ ભરતી યોજના'ની જાહેરાત કરી. તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. 'અગ્નિપથ ભરતી યોજના' હેઠળ, ત્રણેય સેવાઓમાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. 'ટૂર ઑફ ડ્યુટી'નો હેતુ સંરક્ષણ દળોના ખર્ચ અને વયને ઘટાડવાનો પણ છે. અગ્નિપથ યોજના હેઠળ સેનાની ત્રણેય પાંખમાં પ્રથમ વર્ષમાં 45 હજારથી વધુ યુવાનોની ભરતી થઈ શકે છે. બે અઠવાડિયા પહેલા જ જળ, થલસેના અને એરફોર્સના વડાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અગ્નિપથ યોજના વિશે જાણકારી આપી હતી.
#AgnipathRecruitmentScheme | On completion of the engagement period of 4 years, 'Agniveers' will be paid one-time 'SevaNidhi' package... which will be exempt from Income Tax. There shall be no entitlement to gratuity & pensionary benefits: Ministry of Defence pic.twitter.com/dFae7Qi9yx
- કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે સૈનિકોની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો - ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ મુજબ સૈનિકોની ચાર વર્ષ માટે ફોર્સમાં ભરતી કરાશે - જવાન નિવૃત થાય ત્યારે 10 લાખ આપવામાં આવશે - ટૂર ઑફ ડ્યુટીને અગ્નિપથ જયારે સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે - ત્રણેય પાંખોમાં દર વર્ષે 45થી 50 હજાર અગ્નિવીરની ભરતી કરાશે - સેનામાં 6 મહિનાના કાર્યકાળમાં દર વર્ષે 2 વખત ભરતી કરાશે - 17.5 વર્ષથી 21 વર્ષની વયના ઉમેદવારો નોકરી માટે કરી શકશે અરજી
ચાર વર્ષ બાદ સેવામાંથી મુક્ત કરાશે જવાન
PM મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેના હેઠળ સેનામાં શામેલ થઈ રહેલા યુવાઓની એવરેજ ઉંમરને ઘટાડવાનો પ્રયાસ હશે અને રક્ષાબળના ખર્ચમાં પણ ઘટાડો કરાશે. માહિતી પ્રમાણે હાલમાં સેનામાં જવાનની ઉંમર 32 વર્ષ છે જે હવે આ યોજનાથી 26 વર્ષ લાવવાનો પ્રયાસ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે યોજના હેઠળ ચાર વર્ષ સુધી યુવાઓ (અગ્નિવીર) સેનામાં ભરતી કરાશે. જો કે ચાર વર્ષ બાદ મોટાભાગના યુવાઓને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે.આ યોજના હેઠળ યુવાઓને આશરે 30થી 40 હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
અગ્નિપથ સ્કીમ હેઠળ કેટલી ભરતી?
પાંખ
પહેલા બે વર્ષ
ત્રીજુ વર્ષ
ચોથું વર્ષ
આર્મી
40 હજાર
45 હજાર
50 હજાર
નેવી
3 હજાર
3 હજાર
3 હજાર
એરફોર્સ
3500
4400
5300
હવે કોઈ પણ રેજિમેન્ટમાં કરી શકાશે અરજી
ખાસ વાત એ છે કે, હવે સેનાની રેજિમેન્ટમાં જાતિ, ધર્મ અને ક્ષેત્રના હિસાબે ભરતી નહીં થાય, પરંતુ દેશવાસીઓ તરીકે થશે. એટલે કે, કોઈપણ જાતિ, ધર્મ અને પ્રદેશના યુવાનો કોઈપણ રેજિમેન્ટ માટે અરજી કરી શકે છે. હકીકતમાં જોઈએ તો, લશ્કરમાં પાયદળ રેજિમેન્ટ અંગ્રેજોના સમયથી બનાવવામાં આવી છે જેમ કે શીખ, જાટ, રાજપૂત, ગોરખા, ડોગરા, કુમાઉ, ગઢવાલ, બિહાર, નાગા, રાજપુતાના-રાઇફલ્સ, જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી (જેકલાઈ), જમ્મુ-કાશ્મીર રાઇફલ્સ (જેકરિફ) વગેરે. આ તમામ રેજિમેન્ટ જાતિ, વર્ગ, ધર્મ અને પ્રદેશના આધારે તૈયાર કરવામાં આવે છે.
સ્વતંત્રતાની આવી એક જ રેજિમેન્ટ છે, ગાર્ડ્સ રેજિમેન્ટ જે અખિલ ભારતીય અખિલ વર્ગના આધારે ઉભી કરવામાં આવી હતી. પરંતુ હવે અગ્નિવીર યોજનામાં માનવામાં આવે છે કે સેનાની તમામ રેજિમેન્ટ અખિલ ભારતીય ઓલ ક્લાસ પર આધારિત હશે. એટલે કે દેશનો કોઈપણ યુવક કોઈપણ રેજિમેન્ટ માટે અરજી કરી શકે છે. આઝાદી બાદથી તેને સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટા સંરક્ષણ સુધારા તરીકે ગણવામાં આવે છે.
#WATCH | Defence Minister Rajnath Singh and the three service chiefs hold a press conference, in Delhi https://t.co/QTd2nIXnNk
છેલ્લા બે વર્ષથી સેનાની ભરતી અટકી પડી છે. આ વર્ષની શરૂઆતમાં સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે સંસદમાં એક સવાલના જવાબમાં લેખિત જવાબ આપ્યો હતો કે કોરોના મહામારીને કારણે સેનાની ભરતી રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એરફોર્સ અને નેવીની ભરતી પર પ્રતિબંધ છે. જો કે ઓફિસર રેન્કની પરીક્ષાઓ અને કમિશનિંગ પર કોઈ અસર પડી નથી. પરંતુ સૈનિકોની ભરતી બંધ થવાને કારણે દેશના યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહની ચૂંટણી રેલીઓમાં પણ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત ભરતી રેલીઓ ન હોવાના કારણે અનેક અભિયાનો થયા છે.