વડોદરાની OASIS સંસ્થાને ખોટી રીતે બદનામ કરાઈ રહી હોવાની રજૂઆત સાથે સંસ્થાના વિદ્યાર્થીઓ,વાલીગણે, પોલીસ કમિશનર શમશેર સિંહને કરી રજૂઆત. કહ્યું ;આવું કઈ છે જ નહિ.
વડોદરાની ઓએસીસ સંસ્થા નિષ્પાપ,નિષ્કલંક
સંસ્થાના સમર્થનમાં વિદ્યાર્થીઓ-વાલીઓ
વડોદરા પોલીસ કમિશનરને મળીને કરી રજૂઆત
વડોદરામાં નવસારીની યુવતી પર બનેલી જધન્ય ઘટના બાદ કેટ-કેટલાય સવાલો ઉઠ્યા છે. રેલવે પોલીસ,વડોદરા પોલીસ, સંદિગ્ધ અપરાધીઓ, યુવતીને વેક્સીન ગ્રાઉન્ડમાં તેણીના કપડા આપનાર,સાઈકલ લઇ જનાર ગાર્ડથી માંડીને ઓએસીસ સંસ્થાની તમામ ગતિવિધિઓ પર સતત સવાલોનો મારો ચાલી રહ્યો છે. છેલ્લા 24 દિવસથી પોલીસ પણ ઘટનાના તાર જોડવાની કોશિશ કરી રહી છે ત્યારે, ઓએસીસ સાથે સંકળાયેલા વિધ્યાર્થીઓના વાલીઓ,હવે મેદાનમાં આવ્યા છે.
આક્ષેપો પાયાવિહોણા ;વાલીગણ
પીડિતાના પરિવાર તરફથી એક જાહેર અપીલ કરવામાં આવી હતી કે, આ સંસ્થા સાથે સંકળાયેલા યુવતિઓના વાલીઓ સમયસર ચેતી જાય'. આ બાદ, હજુ સુધી સંસ્થા કે તેમના સંચાલકો તરફથી કોઈ પ્રતિભાવ તો નથી આવ્યો આ ઘટના મુદ્દે, વડોદરા પોલીસ કમિશનર કચેરીએ સંસ્થા સાથે સંકળાયેલા યુવાઓના વાલીગણ એકત્રિત થઈને મેદાનમાં ઉતર્યા છે અને કહ્યું કે, આક્ષેપો જે થઇ રહ્યા છે તે પાયા વિહોણા છે.
વડોદરાની ઘટનાના તાણા-વાણા
વડોદરામાં વેક્સીન ગ્રાઉન્ડમાં ઘટેલી ઘટનાને લગભગ 26 દિવસ થવા આવ્યા. પરંતુ સમગ્ર તપાસ બે ભાગમાં વહેંચાયેલી છે. ગૃહ વિભાગે ઘટનાના ભેદ-ભરમ ઉકેલવા 25 દિવસ પછી SIT( સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ ) ની રચના કરી છે. પહેલો ગુનો હત્યા કે આત્મહત્યા,જે રેલ્વેની હદમાં એટલે કે વલસાડમાં ટ્રેનમાં બન્યો. બીજી તપાસ વેક્સીન ગ્રાઉન્ડમાં દુષ્કર્મની છે. આટ-આટલા દિવસો ,યુવતીની ડાયરીના પાના, સંસ્થાના સંચાલકોને યુવતીએ કરેલા મેસેજ, આ બધું છતાં ઓએસીસનાં સંચાલકોનો કોઈ પ્રતિભાવ કે પ્રત્યુતર નથી.
20 વર્ષ પહેલા કલેકટરે જમીન પરત લીધી હતી
આજથી 20 વર્ષ પહેલા ઓએસીસ સામે થયેલા આક્ષેપો, કલેકટર દ્વારા અપાયેલી જમીન પરત લઇ લેવી જેવી ઘટનાએ આ સંસ્થા પર ઉઠેલા સવાલોને વધુ ઘેરા બનાવ્યા છે. ત્યારે ,સંસ્થાને ખોટી રીતે બદનામ કરાઈ રહી હોવાની તરફેણ કરતા OASIS સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ,વિદ્યાર્થિનીઓ અને વાલીગણ,વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંહની ઓફિસે રજૂઆત કરવા પહોચ્યા હતા.