રક્ષામંત્રાલયે એક RTI દ્વારા અગ્નિપથ સ્કીમની જાણકારી માગવા પર કહ્યું કે, આ ફાઈલ સીક્રેટ છે.
અગ્નિપથ સ્કીમને લઈને વિગતો માગવામા આવી
આરટીઆઈ દ્વારા વિગતો માગતા ન મળી જાણકારી
રક્ષામંત્રાલયે કહ્યું આ સીક્રેટ ફાઈલ છે
રક્ષામંત્રાલયે એક RTI દ્વારા અગ્નિપથ સ્કીમની જાણકારી માગવા પર કહ્યું કે, આ ફાઈલ સીક્રેટ છે. હકીકતમાં રક્ષામંત્રાલયમાંથી રાઈટ ટૂ ઈન્ફોર્મેશન દ્વારા અગ્નિપથ સ્કીમ સંબંધિત જાણકારી માગવામાં આવી હતી. પણ મંત્રાલયે એક લેટર લખીને જવાબ આપ્યો છે કે, જેમાં આ ફાઈલ સીક્રેટ માર્ક હોવાની વાત કહી છે. મંત્રાલયે જાણકારી નહીં આપવા પાછળ આ કારણ બતાવ્યું છે.
હકીકતમાં પુનાના રહેવાસી એક આરટીઆઈ કાર્યકર્તા વિહાર દુર્વેએ આ જાણકારી માગી હતી. જાણકારોનું કહ્યું છે કે, આરટીઆઈના સેક્શન 8 અને 9 અંતર્ગત આવી જાણકારી આવે છે, જેને આપવાની ના પાડી શકાય છે. આપને જણાવી દઈએ કે, 14 જૂલાઈ 2022ના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ સ્કીમની ઘોષણા કરી હતી. તેમાં 2022ના ડિસેમ્બર અને 2023ની ફેબ્રુઆરી સુધીમાં 46 હજાર જવાનોની ભરતી કરવામાં આવશે.
પસંદ થયેલા અગ્નિવીરોમાંથી 1/4ને સેનામાં પરમાનેંટ નોકરી આપવામા આવશે. તેમણે કહ્યું હતું કે, અગ્નિવીરોને 30 હજાર રૂપિયા માસિક વેતન આપવામાં આવશે. જેમાં ચોથા વર્ષમાં 40 હજાર આપવામા આવે. 4 વર્ષ પુરા કર્યા બાદ સેવા સમાપ્ત થઈ જશે અને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અવસરે સરકારનુ કહેવુ હતું કે, આ રકમ દ્વારા તે પોતાનો રોજગાર શરુ કરી શકશે અથવા તો ફરી આગળનો અભ્યાસ શરુ કરી શકશે.