રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવામાં બે સમારોહમાં ઉપસ્થિત રહેશે. બરફીવાલા ભવન ખાતે નિવૃત સૈનિકોના સમારોહ અને દિનેશ હોલ ખાતે ભારતીય વિચારમંચ સમારોહમાં હાજરી આપશે. રક્ષામંત્રી નિર્મલા સિતારમણ 25 ફેબ્રુઆરીથી યોજાનારા બે દિવસીય કોન્ક્લેવમાં સેનાના ત્રણે પાંખના વડા સાથે મુલાકાત કરશે. પુલવામા આતંકી હુમલા સંદર્ભે ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ આંતરરાષ્ટ્રીય સૈન્ય સહયોગ મુદ્દે પણ ચર્ચા કરશે.
અમદાવાદમાં સેનાના નિવૃત્ત જવાનો સાથે રક્ષામંત્રીનો સંવાદ કર્યો હતો. નિવૃત્ત સૈનિકો દ્વારા રક્ષામંત્રીને સૂચનો અપાયા છે. નિવૃત્ત સૈનિકોને જમીન હક નહીં મળ્યાનો રજુઆત કરાઈ છે. જે દરમિયાન રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સેવા નિવૃત્ત જવાનોને 70 ટકા જમીન અપાઈ છે. જમીન નથી મળી તેં મામલે તપાસ કરી પગલાં લેવાશે. પેન્શનના પ્રશ્નો મુદ્દે કેન્દ્રની ટીમ આવશે. 4 યુદ્ધ બાદ પણ દેશમાં એકપણ વોર મેમૉરિયલ નથી. તેથી મેમોરિયલ જલદી બનશે.
વધુમાં તેમણે કહ્યું કે, કેટલીક હોસ્પિટલમાં ખોટી પ્રેક્ટીસ થઈ રહી છે. 100 કેસમાંથી 98 કેસ ઈમરજન્સી તરીકે લેવામાં આવે છે. હોસ્પિટલમાં સારવારના ખોટા બિલિંગ થઈ રહ્યા છે. નિવૃત સૈનિકોને આરોગ્યની સેવામાં સમસ્યાઓ આવી રહી છે.