કિન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ કેન્દ્રીય કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવાઈ હતી, પીએમ મોદીને આ દુર્ઘટનાથી વાકેફ કરાયા.
કેન્દ્રીય કેબિનેટની ઈમરજન્સી બેઠક
PM મોદીને અપાઈ જાણકારી
રક્ષા મંત્રી રાજનાથસિંહે પીએમ મોદીને ઘટનાની જાણકારી આપી
રાજનાથસિંહ સંસદમાં નિવેદન આપશે
સીડીએસ બિપિન રાવતને લઈને જઈ રહેલા હેલિકોપ્ટરને નડેલા અકસ્માત બાદ કેન્દ્રીય કેબિનેટની ઈમરજન્સી બેઠક મળી હતી અને તેમાં આ ઘટનાની ચર્ચા કરવામાં આવી. કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની ઉપરાંત, મુખ્ય રક્ષા સલાહકાર, અજિત ડોભાલ સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે પ્રધાનમંત્રી મોદીને ઘટના સંબંધિત તમામ બાબતોથી વાકેફ કર્યાં હતા.
રક્ષા મંત્રી રાજનાથસિંહે સંસદમાં નિવેદન આપશે
હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આટલી મોટી દુર્ઘટના બની હોવાથી તે અંગે રક્ષા મંત્રી રાજનાથસિંહ સંસદમાં નિવેદન પણ આપવાના છે.
રક્ષામંત્રી જશે ઘટનાસ્થળે
નોંધનીય છે કે આજે કેબિનેટની બેઠક પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંઘે પીએમ મોદીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા છે અને રાજનાથ સિંઘ પોતે ઘટનાસ્થળ માટે રવાના થવાના છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર CDS બિપિન રાવતની સારવાર શરૂ કરી દેવામાંઆ આવી છે.
તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું
બુધવારે દેશ માટે ખૂબ જ આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે જેમા તમિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં સેનાના CDS બિપિન રાવત અને તેમના પત્ની પણ સવાર હતા. સેનાએ સત્તાવાર રીતે તપાસના આદેશ આપી દીધા અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.