સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લેહ પહોંચીને પાકિસ્તાન તથા ચીનને મોટો સંદેશ આપ્યો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લેહ પહોંચ્યાં
પાકિસ્તાન તથા ચીનને આપ્યો મોટો સંદેશ
ભારત તરફ આંખ ઉઠાવીને જોયું તો જડબાતોડ જવાબ આપીશું
રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલ લદાખ પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કડક સંદેશ આપ્યો. રાજનાથ સિંહે કહ્યું કે 'ભારત શાંતિનો પૂજારી છે. પરંતુ શસ્ત્ર પણ ધારણ કરે છે. કોઈ દેશની એક ઈંચ જમીન પણ કબ્જાવી નથી. પરંતુ જ્યારે જ્યારે કોઈએ આંખ ઉઠાવી તો અમે જડબાતોડ જવાબ આપ્યો છે.
કોઈ અમારી સામે આંખ ઊંચે કરે તો સહન પણ કરતા નથી-રાજનાથ
રાજનાથે કહ્યું અમે ક્યારેય આંખ ઉચી કરી નથી અને જો કોઈ અમારી સામે આંખ ઊંચે કરે તો તે સહન પણ કરતા નથી. કોઈની આંખ ઉચી કરવી અમે સહન પણ કરતા નથી.' તેમણે વધુમાં કહ્યું કે પાડોશીઓને કહું છું કે શું બેસીને સમાધાન ન નીકળી શકે. જો કોઈ આક્રમક વલણ અપનાવશે તો ભારતના સૈનિકો પણ જવાબ આપશે. હું તમારી તૈયારીઓથી સંતુષ્ટ છું.
#WATCH Defence Minister Rajnath Singh and army personnel chorused 'Waheguru ji ka Khalsa, Waheguru ji ki Fateh' at Leh during his 3-day visit in the UT pic.twitter.com/9Sx2B21WAr
નવા કાશ્મીરથી ગભરાયું છે પાકિસ્તાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક બેઠકે પાકિસ્તાનના મૂળિયા હલાવી નાખ્યા છે. પીએમ મોદીએ 24મીએ જમ્મુ અને કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરી હતી. આતંકીઓએ આ બેઠક અગાઉ 23 જૂનના રોજ CID ઈન્સ્પેક્ટર ડારની હત્યા કરી. બેઠક બાદ તો પાકિસ્તાન તરફથી હુમલા વધી ગયા અને 26 જૂનના રોજ CRPF ના કાફલા પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ 27મીએ જમ્મુમાં એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો. જેમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. અને હવે અવંતીપુરામાં પૂર્વ SPO ની હત્યા કરી નાખી. એટલે કે બેઠકના આગલા દિવસથી જ પાકિસ્તાન અને આંતકીઓ એટલા સક્રિય થઈ ગયા કે તેઓ એક પછી એક પોતાના આધુનિક હથિયારોથી ભારતને નિશાન બનાવી રહ્યા છે.