રક્ષા મંત્રી રાજનાથસિંહ બે દિવસની લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચી રહ્યાં છે. રક્ષા મંત્રી રાજનાથસિંહની સાથે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ ઉપસ્થિત રહેશે. રક્ષામંત્રી રાજનાથસિંહ આજે લદ્દાખ અને આવતી કાલે શ્રીનગર જશે અને ચીન અને પાકિસ્તાનની સરહદ વિસ્તારની સમીક્ષા કરશે.
ચીનના તમામ વચનો છતા ભારત લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહ્યું છે. આ સાથે સેનાને કોઇપણ પરિસ્થિતિમાં જડબાતોડ જવાબ આપવા માટે અલર્ટ રહેવા જણવામાં આવ્યું છે. આમ ચીન સાથેના તણાવ બાદ પીએમ મોદીની મુલાકાત બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે સેના પ્રમુખ નરવણેની સાથે લદ્દાખ મુલાકાત માટે રવાના થઇ ગયા છે.
Delhi: Defence Minister Rajnath Singh leaves for Leh on a two-day visit to Ladakh and Jammu&Kashmir. He is being accompanied by Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General Manoj Mukund Naravane. He will visit Ladakh today and Srinagar tomorrow. pic.twitter.com/sc3tzLOJn3
લદ્દાખ મુલાકાત દરમિયાન રક્ષામંત્રી સેનાની તૈયારી અને પરિસ્થિતિની સમીક્ષા કરશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ રક્ષામંત્રી રાજનાથસિંહ, સેના અધ્યક્ષ, ઉત્તરી કમાનના લેફટનેંટ જનરલ યોગેશ કુમાર જોશી, 14 કોર લેફિટનેંટ જનરલ હરિંદર સિંહ અને અન્ય વરિષ્ઠ સેનાના અધિકારી સાથે સુરક્ષાને લઇને વિસ્તૃત સમીક્ષા કરશે.
આ અગાઉ બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, વિદેશમંત્રી એસ જયશંકર, સેનાઅધ્યક્ષ જનરલ નરવણે અને અન્ય અધિકારીઓ વચ્ચે પૂર્વી લદ્દાખની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.