ચીનની અવળચંડાઈ બાદ ભારતમાં ચીની વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે તેને આર્થિક ફટકો આપવા માટે દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેને પગલે સરકારને અનેક ચીની કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા છે. અનેક વેપારીઓએ ચીનથી સામાન ન લાવવા પહેલ કરી છે. જેને પગલે આજે મુગટમાં કલગી ઉમેરાય જેવા સમાચાર મળી રહ્યા છે. રાજનાથસિંહ મહત્વની જાહેરાત કરી છે. જેમાં સૈન્યને આત્મનિર્ભર હથિયારો સહિત તમામ સુવિધા દેશી બનાવટની મળશે.
101 ઉપકરણોની આયાત પર પ્રતિબંધ-રાજનાથસિંહ
સામાન્ય પાર્ટસ ઉપરાંત કેટલાક હથિયારો પણ યાદીમાં સામેલ
રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફનું એક મહત્વનું પગલું-રાજનાથસિંહ
રક્ષામંત્રી રાજનાથસિંહે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રક્ષા ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બનશે. 101 ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લાધવામાં આવ્યો છે. જેમાં સામાન્ય પાર્ટસ ઉપરાંત કેટલાક હથિયારો પણ યાદીમાં સમાવાયા છે.
આ અંગે રક્ષામંત્રીએ કહ્યું કે રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફનું એક મહત્વનું પગલું છે. રક્ષા મંત્રાલયે 101 વસ્તુઓની યાદી તૈયાર કરી છે. જેમાં આર્ટિલરી ગન, અસોલ્ટ રાઈફલ્સ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ દેશમાં બનશે. HCL રડાર સહિતની અનેક વસ્તુઓનો યાદીમાં સમાવેશ કરાયો છે. તેમણે કહ્યું કે ભારતીય રક્ષા ઉદ્યોગ માટે મોટો અવસર છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ‘આત્મનિર્ભર ભારત સપ્તાહ’ની શરુઆત કરશે. રક્ષા મંત્રીના કાર્યાલયે આ અંગે જાણકારી આપી હતી. કાર્યાલયે મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યું કે કાર્યક્રમનું આયોજન બપોરે 3.30 વાગે થશે.