સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટીવ થયા છે. તેમણે જાતે ટ્વિટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપી હતી.
અશોક ગેહલોત બાદ હવે કેન્દ્રીય મંત્રી કોરોનાની ચપેટમાં
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટીવ
ટ્વિટ કરીને આપી જાણકારી
હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે. પહેલા અરવિંદ કેજરીવાલ, ત્યાર બાદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને હવે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કોરોના પોઝિટીવ થયા છે. રાજનાથસિંહે ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટીવ થયા હોવાની માહિતી આપી હતી. દેશમાં હવે કોરોના સંકટ ઘેરુ બનવા લાગ્યું છે.
રાજનાથમાં કોરોનાના હળવા લક્ષણો
રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે હું આજે કોરોના પોઝિટીવ થયો છું. મારામાં કોરોનાના હળવા લક્ષણો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું. મારા સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરવાની તથા આઈસોલેટ થવાની અપીલ કરુ છું.
બે દિવસ પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ કોરોના પોઝિટીવ થયા હતા
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ કોરોના પોઝિટીવ થયા હતા તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
અત્યાર સુધી કેટલા નેતાઓ કોરોના પોઝિટીવ થયા
અત્યાર સુધી 3 મોટા નેતા કોરોના પોઝિટીવ થયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટીવ થયા છે.