આર્ટિકલ 370 હટાવવા મામલે છંછેડાયેલા પાકિસ્તાન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે હુમલો કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું છે કે સૌથી મોટી આશંકા આપણને આપણા પડોશી વિશે રહેતી હોય છે. એટલું જ નહીં રાજનાથ સિંહે કહ્યું કે ભગવાન ન કરે કોઇને આવો (પાકિસ્તાન જેવો) પડોશી મળે.
પાકિસ્તાને બુધવારે ભારત સાથે રાજદ્વારી સંબંધો ઘટાડો કરવા, દ્વિપક્ષીય વ્યાપાર તોડવાની સાથે આર્ટિકલ 370 હટાવવાનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે. આ મામલામાં પ્રતિક્રિયા આપતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'સૌથી મોટી આશંકા તો આપણા પડોશી વિશે રહે છે. સમસ્યા એ છે કે તમે મિત્ર બદલી શકો છો પરંતુ પડોશીની પસંદગી આપના હાથમાં નથી હોતી. અને જેવો પડોશી (પાકિસ્તાન) આપણી બાજુમાં છે, ભગવાન ન કરે કોઇને આવો પડોશી મળે.'
ભારતે આપ્યો જવાબ
પાકિસ્તાને ભારત સાથે વ્યાપારી અને રાજદ્વારી સંબંધોને લઇને જે એલાન કર્યું, ભારતે તેનો જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનની ઇમરાન સરકારને એકતરફી નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાન યોગ્ય બાબતો વિશે જાણ્યા વિના આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાન પર ભારતનો આરોપ
પાકિસ્તાને બુધવારે ભારત સાથેના રાજદ્વારી સંબંધોને ઘટાડવા, દ્રિપક્ષીય વ્યાપાર તોડવા સાથે આર્ટિકલ 370ને હટાવવા મામલે સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે કહ્યું છે કે આર્ટિકલ 370 હટાવવાથી જમ્મૂ કાશ્મીરના લોકોનો અસંતોષ દૂર કરી શકાય છે. પાકિસ્તાન ગભરાઇને આતંરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન આકર્ષવા પ્રયાસ કરી રહ્યું છે જેથી તે કાશ્મીરીઓની સંવેદનાઓનો ઉપયોગ બોર્ડર પારથી ફેલાવવામાં આવતા આતંકવાદને યોગ્ય દર્શાવવા કરી શકે.
પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાય
વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું, 'પાકિસ્તાન કાશ્મીર પર આતંરરાષ્ટ્રીય સમુદાયની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમા એ ક્યારેય સફળ નહીં થઇ શકે. આર્ટિકલ 370ને લઇને ઉઠાવવામાં આવેલા હાલના પગલા ભારતના આંતરિક મામલા સાથે જોડાયેલા છે. આપણું બંધારણ કાલે પણ સર્વોપરિ હતું, આજે પણ છે અને આગળ પણ રહેશે.'