ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પહેલીવાર લદ્દાખમાં ભારત-ચીનની સેનાઓ વચ્ચે ચાલી રહેલા તણાવને લઇને નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિતિઓને ઠીક કરવા માટે રાજનયિક અને સૈન્ય સ્તર પર વાતચીત જારી છે. તેઓએ કહ્યું કે ભારત પોતાના પડોશીઓની સાથે સારા સંબંધો ઇચ્છે છે.
રાજનાથ સિંહનું પહેલીવાર લદ્દાખમાં ભારત-ચીનની સેનાઓ વચ્ચે ચાલી રહેલા તણાવ પર નિવેદન
ભારત અને ચીન વચ્ચે સ્થિતિઓને ઠીક કરવા માટે રાજનયિક અને સૈન્ય સ્તર પર વાતચીત જારી : રાજનાથ સિંહ
એક ન્યૂઝ ચેનલ આજતકને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે કહ્યું કે ભારત પ્રયાસ કરી રહ્યું છે કે કોઇપણ સ્થિતિમાં તણાવ ન વધે. જો વાતચીત સૈન્ય સ્તર પર કરવાની હશે તો તેને સૈન્ય સ્તરે કરવામાં આવશે. જો તેને રાજનયિક સ્તર પર ઉકેલવાનો હશે, તો રાજનયિક સ્તર પર ઉકેલવામાં આવશે, પરંતુ સ્થિતિનો ઉકેલ જરૂર આવશે.
બોર્ડર વિવાદ પર ચીન દ્વારા અપાયેલા નિવેદન તરફ ઇશારો કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે હું આપને જણાવી દેવા માંગુ છું કે ચીને પણ સ્થિતિનો ઉકેલ લાવવાની ઇચ્છા દર્શાવી છે. ક્યારેક-ક્યારેક ચીન સાથે આવી પરિસ્થિતિઓ ઉભી થઇ જાય છે. આમ પહેલા પણ થયું છે. મે મહીનામાં પણ એલએસી પર કેટલીક સ્થિતિઓ ઉભી થઇ છે, પરંતુ અમે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ચીન ઉપરાંત ભારતની નેપાળ સાથે પણ બોર્ડરને લઇને વિવાદની સ્થિતિ પેદા થઇ છે. તેના પર રાજનાથ સિંહે કહ્યું કે આ મુદ્દાને પણ વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. રક્ષા મંત્રીએ કહ્યું કે નેપાળ અમારા માટે પરિવાર જેવું છે. ભારત અને નેપાળ ભાઇ છે. હાલ તમામ નિયંત્રણમાં છે. જો કોઇ સમસ્યા ઉભી થઇ તો અમે સાથે બેસીને તેના પર ચર્ચા કરીશું.
જ્યારે ભારત-ચીન સીમા વિવાદ પર મધ્યસ્થતાને લઇને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રસ્તાવ આપ્યો હતો. તેના પર રાજનાથ સિંહે કહ્યું કે તેની શુક્રવારે અમેરિકી રક્ષા મંત્રી માર્ક એસ્પર સાથે વાતચીત થઇ છે અને અને તેમને ભારત-ચીન વચ્ચે આવી સ્થિતિઓને ઉકેલવા માટે પહેલાથી જ સ્થાપિત મેકેનિઝમની જાણકારી આપી દેવાઇ છે.