રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2021 અંતર્ગત આયોજીત કરેલા સ્ટાર્ટ એપ મેરેથોનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમારી સરકાર સંપૂર્ણ રીતે સાવચેત છે કે રક્ષા વિનિમાર્ણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ લાવવાની ઘણી જરુર છે. તેમણે કહ્યું કે આ લક્ષ્યને ધ્યાનમાં રાખી ખાનગી ઉદ્યોગોની સાથે ભાગીદારી કરતા અનેક પગલા ભરવામાં આવ્યા છે.
આ વખતે 1200 સ્ટાર્ટ અપ અને ઈનોવેટર્સે ભાગ લીધો
ઉદ્યોગોને ભાગ લેતા પહેલા 203 કરોડનો ઓર્ડર પણ મળી ગયો છે
કોરોનાને લીધે આ શોનું આયોજન ઓછા સમય માટે કરવામાં આવ્યું
આ વખતે 1200 સ્ટાર્ટ અપ અને ઈનોવેટર્સે ભાગ લીધો
સ્ટાર્ટ અપ મેરેથોનને સંબોધિત કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે રક્ષા ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ DISCમાં ઓછામાં ઓછા આ વખતે 1200 સ્ટાર્ટ અપ અને ઈનોવેટર્સે ભાગ લીધો છે. આમાંથી ઓમાં ઓછા 60 સ્ટાર્ટ અપ DISCના પડકારો હેઠળ 30 ટેક્નોલોજી ક્ષેત્રમાં છે.
Our Government is acutely conscious that startups being the latest entrants in the defence manufacturing sector require that extra push. with this aim in view, we have taken many steps to foster and encourage this partnership with private industry: Defence Minister in Bengaluru pic.twitter.com/Ck43j1BOQv
ઉદ્યોગોને ભાગ લેતા પહેલા 203 કરોડનો ઓર્ડર પણ મળી ગયો છે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે વધુંમાં કહ્યું કે આ વિશે આયોજીત થયેલા એરો ઈન્ડિયા શોમાં ઓછામાં ઓછા 45 લઘુ, કુટીર તથા મધ્યમ ઉદ્યોગો(એમએસએમઈ) ક્ષેત્રમાંથી વ્યાપારિયોએ ભાગ લીધો છે. જેમને પહેલા જ ઓછામાં ઓછા 203 કરોડનો ઓર્ડર પણ મળી ગયો છે.
કોરોનાને લીધે આ શોનું આયોજન ઓછા સમય માટે કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે 3 તારીખથી રાજધાની બેંગલુરુમાં આયોજિત થઈ રહેલા એરો ઈન્ડિયા શોનો શુક્રવારે અંતિમ દિવસ છે. 3 દિવસ સુધી આ શોનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે આ વખતે આ શોનું આયોજન ઓછા સમય માટે કરવામાં આવ્યું હતુ.
Attaining self-reliance in manufacturing of defence equipment is a crucial factor for maintaining India’s strategic autonomy. iDEX initiative stands out as one of the most effective &well-executed defence Start-up ecosystems created in our country: Defence Minister Rajnath Singh
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો અને આરોપ લગાવ્યો
નોંધનીય છે કે એક તરફ રાજનાથ સિંહ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ વર્ષ 2021-22ના બજેટને લઈને ગુરુવારે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો અને આરોપ લગાવ્યો છે કે આ બજેટમાં સુક્ષ્મ, લઘૂ તથા મધ્યમ ઉદ્યોગો(એમએસએમઈ)ની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું પ્રધાનમંત્રી મોદીના ઉદ્યોગપતિ કેન્દ્રીત બજેટનો મતલબ એ છે કે સંઘર્ષ કરી રહેલા એમએસએમઈને ઓછું વ્યાજ દર પર લોન નહીં મળે અને જીએસટીમાં રાહત પણ નહીં આપવામાં આવે.
નોંધનીય છે કે કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભારતમાં સૌથી વધારે લોકોને રોજગાર આપવા માટે ક્ષેત્ર એમએસએમઈની સાથે વિશ્વાસઘાત થયો છે. રાહુલ ગાંધીએ બુધવારે સામાન્ય બજેટને એક ટકા લોકોનું બજેટ ગણાવ્યું હતુ અને સવાલ કર્યો હતો કે રક્ષા ખર્ચમાં ભારે ભરખમ વધારો ન કરી દેશનું કયું ભલુ કર્યું અને આ કેવી દેશભક્તિ છે?