તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, આ મુદ્દે આજે રક્ષામંત્રી રાજનાથસિંઘ દ્વારા લોકસભામાં નિવેદન આપવામાં આવ્યું હતું.
cds જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન
રક્ષામંત્રી રાજનાથસિંહનુ નિવેદન
દેશને ક્યારેય ન પુરાય તેવી ખોટ
લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહે આપ્યું નિવેદન
તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા.
Indian Air Force (IAF) has ordered a tri-service inquiry into the military chopper crash. The investigation will be led by Air Marshal Manavendra Singh. The inquiry team reached Wellington yesterday itself and started the investigation: Defence Minister Rajnath Singh Lok Sabha pic.twitter.com/l6zE4Kboy6
હેલિકોપ્ટરમાં આગ લાગી
લોકસભામાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે આ ઘટના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે. તેમણે કહ્યું
હતું કે હેલિકોપ્ટરમાં આગ લાગી હતી.
દુર્ઘટનાની તપાસ માટે કમિટી
તેમણે જણાવ્યું હતું કે 11:48 એ હેલિકોપ્ટરે ઊડાન ભરી હતી. ત્યાર બાદ તેમાં આગ લાગી હતી. હેલિકોપ્ટરમાં 14 લોકો હાજર હતા જેમાંથી 13 લોકોના દુઃખદ નિધન થયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. એરફોર્સ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરાઇ છે અને એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કમિટી રચના કરવામાં આવી છે.
CDS બિપિન રાવતનું અકસ્માતમાં મોત: રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સના હેલિકોપ્ટર ક્રેશ પર લોકસભામાં નિવેદન આપ્યું હતું. જનરલ રાવત તેમના પ્રવાસ પર હતા. બુધવારે 11.48 વાગ્યે એક Mi-17 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. લગભગ 12:08 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલે તેનું નિયંત્રણ ગુમાવ્યું હતું. બાદમાં કેટલાક લોકોએ આ હેલિકોપ્ટરને આગમાં જોયુ હતું. સ્થાનિક પ્રશાસનની બચાવ ટુકડી પહોંચી. અવશેષોમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ લોકોને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 14માંથી 13 લોકોના મોત થયા હતા. રાજનાથ સિંહે બિપિન રાવત અને પત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
વરુણ સિંઘ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંઘ હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમનો જીવ બચાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
Group Captain Varun Singh is on life support in Military Hospital, Wellington. All efforts are being made to save his life: Defence Minister Rajnath Singh in his statement in Lok Sabha on the military chopper crash in Tamil Nadu pic.twitter.com/GLU8owBIBk
જનરલ બિપિન રાવત અને તેમના પત્ની ડૉ. મધુલિકા રાવતના પાર્થિવ દેહને આજે દિલ્હી લાવવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ, જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃતદેહને દિલ્હી છાવણી લાવવામાં આવશે અને શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને આજે સૈન્ય વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં લઈ જવામાં આવશે.