કોઈ પણ હરકત કરી તો જવાબ મળશે, જવાનોનો જોશ અને જુસ્સો બુલંદ : રાજનાથ સિંહ
ભારત ચીન સીમા વિવાદ પર તણાવ વચ્ચે આજે રાજનાથ સિંહે વિસ્તારમાં સંસદને જાણકારી આપી. વિપક્ષ સતત આ મુદ્દે સરકારના નિવેદનની માંગ કરી રહ્યું હતું ત્યારે રાજનાથ સિંહે કહ્યું કે ભારતના જવાનો પૂરી સતર્કતા સાથે તૈયાર છે, રાજનાથ સિંહે સંસદથી ચીનને વાતચીત માટે પ્રસ્તાવ આપતા કહ્યું કે જો ડ્રેગન સીમા કોઈ હરકત કરશે તો અમારા જવાનો જડબાતોડ જવાબ આપશે.
સરહદ પર ચીને ઉભી કરી રાખી છે સેના
રાજનાથ સિંહે કહ્યું કે અત્યારે પણ ચીને LACના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારો જમા કરી રાખ્યા છે. ચીનની કાર્યવાહીના જવાબમાં અમારી સેનાએ પણ કાઉન્ટર રૂપે વધારે જવાનો ખડક્યા છે, સંસદે આશ્વસ્ત થઇ જવું જોઈએ કે આપણી સેના આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરશે.
જવાનોનો જોશ અને જુસ્સો બુલંદ
રાજનાથ સિંહે કહ્યુ કે સેના માટે વિશેષ અસ્ત્ર-શસ્ત્ર અને દારૂગોળાની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમના રહેવા માટે સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. લદાખમાં અમે એક પડકારજનક પરિસ્થિતિથી પસાર થઇ રહ્યા છે અને આ સમયે સદન પોતાના જવાનોની વીરતાનો અનુભવ કરીને સંદેશ આપે કે આખી સંસદ એક સાથે ઉભી છે. રાજનાથે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ પહેલા કરતા અલગ છે, અમે બધી પરિસ્થિતિ સામે તૈયાર છીએ. જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે સંસદે સેના પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આપણા જવાનોનો જોશ અને જુસ્સો બુલંદ છે.
શાંતિપૂર્ણ સમાધાન માટે તત્પર ભારત
રાજનાથ સિંહે કહ્યું અમે સરહદ પર મુદ્દાઓ શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવા પ્રતિબદ્ધ છીએ, અમે ચીની રક્ષામંત્રી સાથે બેઠક કરી, અમે કહ્યું કે આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે સમાધાન થવું જોઈએ પણ ભારતની સંપ્રભુતાની રક્ષા માટે પણ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. 10મી સપ્ટેમ્બરે એસ જયશંકરે ચીની વિદેશમંત્રી સાથે મુલાકાત કરી અને જશંકરે કહ્યું કે જો ચીન સંપૂર્ણપણે સમજૂતીને માને તો વિવાદિત વિસ્તારમાંથી સેનાને હટાવી શકાય છે.
કોરોના છતાં તૈયારીમાં આગળ ભારત
રક્ષામંત્રીએ સંસદમાં કહ્યું કે કોરોના વાયરસના પડકારજનક સમયમાં સેના અને ITBPના જવાનો તૈનાત કરવામાં આવ્યા, સરકાર સરહદના વિકાસને પ્રાથમિકતા આપે છે. અમારી સરકારે સરહદના વિકાસ માટે ખૂબ બજેટ વધાર્યું છે અને સરહદી વિસ્તારમાં રોડ અને પુલ બનાવી રહ્યા છે જેનાથી સેનાને સારો સપોર્ટ મળી રહે.