8 ડિસેમ્બરનો દિવસ દેશ માટે ખૂબ માઠા સમાચાર લઈને આવ્યો છે. દેશે એક વીરતાનું એક અણમોલ રતન ગુમાવ્યું છે. તમિલનાડુના કૂન્નુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત શહીદ થતા દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનું પણ દુર્ઘટનામાં મોત થયું છે.
હેલિકોપ્ટરમાં સવાર 14 માંથી 13 લોકોના મોત
જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો, અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં મોટી આગ લાગી હતી અને તે આગનો ગોળો બનીને જમીન પર તૂટી પડ્યું હતું તેમાં સવાર 13 લોકોના મોત થયા જ્યારે એક જવાન જીવિત બચી ગયો છે.
ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી
ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત કેવી છે એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે
Group Captain Varun Singh SC, Directing Staff at DSSC with injuries is currently under treatment at Military Hospital, Wellington, Indian Air Force says.
પ્રધાનમંત્રી મોદી-અમિત શાહે ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું
"I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. They served India with utmost diligence. My thoughts are with the bereaved families, " tweets PM Modi pic.twitter.com/QidgyN3vdp
ડિફેન્સ એક્સપર્ટ્સના અનુસાર, Mi-17V5 હેલિકૉપ્ટર એક વીવીઆઈપી ટ્વિન એન્જિન હેલિકૉપ્ટર છે. સિયાચિનથી લઇને નૉર્થ ઈસ્ટના વિસ્તારો સુધી આ હેલિકૉપ્ટરનો ઉપયોગ રવામાં આવે છે. કુન્નૂરની આસપાસ ખરાબ હવામાનના કારણે દુર્ઘટના બની હોવાની શક્યતા છે. હજુ સુધી દુર્ઘટનાનુ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.
તમિલનાડુના કુન્નૂરમાં ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવતને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પત્ની સહિત સ્ટાફના કુલ 14 લોકો હાજર હતાં. તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે આ ઘટના બની. હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું તે ગાઢ જંગલ છે. જેને લીધે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હેલિકૉપ્ટરમાં કોણ કોણ સવાર હતા?
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર MI-17V5 માં ચીફ ઓફ ડિફેન્સ રાવત પોતાના સ્ટાફ સાથે સવાર હતાં. કુલ 14 લોકો હેપિકૉપ્ટરમાં સવાર હતા. જેમાં હેલિકોપ્ટરમાં CDS બિપીન રાવત બિપીન રાવતના પત્ની શ્રીમતિ મધુલિકા રાવત, બ્રિગેડિયર એલ.એસ.લિડ્ડુર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરુદેલસિંહ, નાયક જિતેન્દ્રકુમાર, લાન્સ નાયક વિવેકકુમાર, લાંસ નાયક બી.આઈ. તેજા અને હવાલદાર સતપાલ હેલિકૉપ્ટરમાં સવાર હતા.