આપણા જીવનમાં પાણીનું ખૂબ મહત્વ છે કારણ કે પાણી વગર જીવન શક્ય નથી. ધર્મ ગ્રંથોમાં પણ પાણીથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્રમાં પાણીનો દુરુપયોગને ગરીબીનું કારણ જણાવવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં પાણીનો ખોટો ઉપયોગ થાય છે ત્યાં દેવી લક્ષ્મી રોકાતી નથી. જાણો પાણીથી જોડાયેલી ખાસ વાતો.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરના નળોમાં વ્યર્થ પાણી ટપકતું રહે છે એ ઘરમાં હંમેશા ધનનો અભાવ રહે છે. નળથી વ્યર્થ ટપકતાં પાણીનો અવાજ એ ઘરના મુખ્ય માણસને પણ અસર કરે છે. એટલા માટે એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે ઘરના નળોમાંથી વ્યર્થ પાણી ટપકે નહીં.
ઘણા બધા લોકોને રાત્રે સ્નાન કરવાની આદત હોય છે. પરંતુ શાસ્ત્રોમાં રાતના સ્નાને વર્જિત માનવામાં આવ્યું છે. એટલે કે રાતના સમયે ન્હાવું જોઇએ નહીં. જે દિવસે ગ્રહણ હોય એ દિવસે રાત્રે સ્નાન કરવું યોગ્ય ગણાય છે. રાતના સમયે સ્નાન કરવું એ પાણીને વેડફાટ કર્યા સમાન છે. જે પણ પાણીનો આવી રીતે દુરુપયોગ કરે છે એના ઘરમાં કાયમ પૈસાની અભાવ રહે છે.
આપણા ધર્મો શાસ્ત્રોમાં અને પુરાણોમાં પાણીને બચાવવા માટે પાણીને હાથથી પીવા પ્રતિબંઘ જણાવવામાં આવ્યો છે. કારણ કે એનાથી પાણી પીવામાં તો ઓછું ઉપયોગ થાય છે પરંતુ આજુબાજુ વધારે ઢોળાય છે.