હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે, ખાસ કરીને લોકોને ગંભીર બેદરકારીના કારણે બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો સામે આવતા હાલ ડિસાને કોરોના હોટસ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર
ડીસાને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરાયો
લોકોની ગંભીર બેદરકારીના કારણે કોરોના કેસમાં વધારો
દિવાળી વેકેશનમાં બજારોમાં કરેલી ભારે ભીડનું પરિણામ હાલ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું છે. જ્યાં દિવાળી પહેલા માત્ર પાંચથી સાત કેસ રોજના કોરોના વાયરસના સામે આવતા હતા. તે હાલમાં વધીને રોજના 70થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. બીજી તરફ હાલમાં ઠંડીની શરૂઆત થતાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે લગ્નની સિઝન હોવાના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
ખાસ કરીને નિશાની બજારોમાં લગ્ન સિઝન દરમિયાન લોકો સૌથી વધુ ખરીદી કરવા નજરે પડી રહ્યા છે. જેને લઇને બનાસકાંઠા જિલ્લામાં હાલમાં સૌથી વધુ ડીસા શહેરમાં કોરોના વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં લોકો સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી બજારોમાં ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ કોરોના વાયરસના કેસોમાં વધારો થાય તો નવાઇ નહીં.
ડીસાને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરાયો
બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કારણે આરોગ્ય વિભાગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને લોકોને કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા આ માટે આરોગ્ય વિભાગ પર વારંવાર સુચનાઓ આપવામાં આવતી હોવા છતાં લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના કારણે સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો શહેરમાં 1200થી પણ વધુ સામે આવ્યા છે. હજુ પણ રોજના 35થી પણ વધુ કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ડીસાને કોરોના વાયરસમાં હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
લોકોની ગંભીર બેદરકારીના કારણે કોરોના કેસમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસો વધવા પાછળનું કારણ લોકોને ગંભીર બેદરકારી સામે આવી રહી છે. ખાસ કરીને લોકો હાલમાં બજારોમાં ખરીદી કરવા આવતા ભારે ભીડ કરી રહ્યા છે. જેના કારણે સતત લોકોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે જ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હાલમાં ડીસા અને પાલનપુરમાં લોકો મારા વગર ફરી રહ્યા છે, જેના કારણે પણ સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે વારંવાર સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતા પણ જાણે બનાસકાંઠા જિલ્લામાં લોકોને કોરોના વાયરસથી કઈ લેવાદેવા જ ન હોય તેમ તમામ ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશ શરુ કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને અટકાવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મેઇન બજારમાં આરોગ્ય ટીમ દ્વારા માત્ર વગરના લોકોને ઝડપી પાડી તેમનું ઘટનાસ્થળે જ ટેસ્ટિંગ કરવામાં આવે છે. જે પણ લોકોને કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવે તેવા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ બજારોમાં મારા વગર ફરતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ સ્ટાફે રાખી દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગની આ નવી પહેલથી લોકોમાં ધીમે ધીમે જાગૃતિ જોવા મળી રહી છે, જે લોકો માત્ર વગર બજારમાં ફરતા હતા તે હવે ફરજિયાત માસ્ક પહેરીને બજારોમાં જોવા મળી રહ્યા છે.