ધાર્મિક નગરી અયોધ્યામાં દિવાળીના શુભ અવસર પર શરૂ કરવામાં આવેલો 'દીપોત્સવ' દેશ દુનિયામાં જાણીતો બન્યો છે. અને આ વર્ષે દિવાળીને પહેલા કરતા ઘણી વધારે મોટી અને ભવ્ય બનાવવાની તૈયારી છે. આ અવસરે રેકોર્ડ સંખ્યામાં દીપ સળગાવીને વિશ્વ કીર્તિમાન બનાવવાની તૈયારી છે.
અયોધ્યામાં દિવાળીમાં શરૂ કરેલો 'દીપોત્સવ' દેશ દુનિયામાં જાણીતો બન્યો
અયોધ્યામાં દીપોત્સવ 24થી 26 ઓક્ટોબર યોજાશે
દીપોત્સવ પર 4 લાખ દીપ સળગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવાશે
દીપોત્સવ 24થી 26 ઓક્ટોબર વચ્ચે અયોધ્યામાં થશે અને આ વખતે લગભગ ચાર લાખ દીપ સળગાવીને ગત વર્ષના ત્રણ લાખથી વધારે દીપ સળગાવવાના વર્લ્ડ રેકોર્ડ તોડવાની તૈયારી કરાઇ રહી છે.
ગત વર્ષે પરિત્ર સરયૂ નદીના કિનારે સળગાવામાં આવેલા દીપે લગભગ 45 મિનિટ સુધી રોશની પ્રસરાવી હતી. અને તેની ભવ્યતાની દેશ દુનિયામાં ખૂબ જ ચર્ચા થઇ. ભાજપના ઉત્તરપ્રદેશના પ્રવક્તા હરિશ્ચંદ્ર શ્રીવાસ્તવે કહ્યું કે, 'દીપોત્સવ ભારતીય જનમાનસમાં અને ભારતીય સંસ્કૃતિમાં એક એવુ સાંસ્કૃતિક ઉત્સવ છે જે અસત્ય પર સત્યના વિજય રૂપે ઉજવવામાં આવે છે. તે અંધકારને પ્રકાશમાં બદલવાનો ઉત્સવ છે. અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દીપોત્સવને ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય નિશ્ચિતપણે ઉત્સાહજનક છે.'
એમણે કહ્યું કે, ' આ આયોજન ધાર્મિક મહત્વની સાથે પર્યટનની દ્રષ્ટીથી પણ મહત્વપૂર્ણ છે, અને તેના દ્વારા દુનિયામાં એક સાંસ્કૃત્તિક ઉત્સવના રૂપે મોટો સંદેશ આપે છે. અને પ્રવાસનની મોટી સંભાવના પેદા થાય છે.' એમણે બતાવ્યું કે અયોધ્યામાં આ વખતે દિવાળી વધારે ભવ્ય હશે. માત્ર રામની પૈડી પર જ નહીં પરંતુ આખી રામનગરીમાં ત્રણ દિવસ સુધી દરેક ઘરે દીપ સળગાવાશે.
રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું છે કે, 24થી 26 ઓક્ટોબરના આ આયોજન માટે વહીવટીય તંત્રે પૂર્ણ તૈયારી કરી લીધી છે. અયોધ્યાના 13 મુખ્ય મંદિરોમાં ત્રણ દિવસ સુધી દરેક દિવસે 5001 દીપ સળગાવાશે. આ ઉપરાંત નગરના તમામ 10 હજાર મંદિરો અને ઘરોમાં પણ દીપ સળગાવાશે.
આયોજન સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે આ વખતે અયોધ્યાના દીપોત્સવમાં મોરિશિયસ, નેપાળ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ સહિતની રામલીલા મંડળીઓ રામલીલાનં મંચન કરશે. આ ઉપરાંત દેશના વિભિન્ન ભાગોમાં લગભગ 32 સાંસ્કૃત્તિક પાર્ટીઓનો કાર્યક્રમ થશે. શ્રીલંકાના કલાકાર પણ આવશે.