બોલિવુડના સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અત્યારે પોતાના લગ્નની થઈ રહેલી વાતોને લઇને ચર્ચામાં છે. બંને ગુપચુપ લગ્નની તૈયારી કરી રહ્યાં છે. જોકે અત્યાર સુધી બંનેના લગ્ન અંગે દીપિકા અને રણવીર તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી. પરંતુ તેમના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે.
હવે લાગી રહ્યું છે કે દીપિકા પોતાના લગ્ન અંગે ટૂંક સમયમાં મૌન તોડશે. આ વાતનો સંકેત ખુદ દીપિકાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં આપ્યો છે. જ્યારે દિપિકાને પોતાના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો પહેલા તેમણે આ અંગે બોલવાનુ ટાળ્યું હતું.
બીજી વખત પૂછતા દીપિકાએ કહ્યું ''તમને ટૂંક સમયમાં ખબર પડી જશે.'' જેના પરથી લાગી રહ્યું છે કે બંનેના લગ્નની વિગતવાર માહિતી ટૂંક સમયમાં સામે આવશે. મીડિયા રિપોર્ટસ મુજબ દીપિકા અને રણવીર ઈટાલીના લેક કોમોમાં 20 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યાં છે.
ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો રણવીર અને દીપિકા માટે આ મહત્વનો સમય હશે. એટલે લગ્નમાં તેમના નજીકના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સામેલ હશે. લગ્નમાં અંદાજે 30 લોકો સામેલ થશે તેવી આશા છે. બંનેએ મળી આ વાતનો નિર્ણય કર્યો છે.
ઈટાલીની વાત કરીએ તો લગ્ન માટે આ બંનેનું ફેવરિટ ડેસ્ટિનેશન પ્લેસ છે. લગ્ન બાદ ભારતમાં બે રિસેપ્શન યોજવામાં આવશે. પહેલુ મુંબઈમાં અને બીજુ દીપિકાના હોમટાઉન બેંગલુરૂમાં યોજાશે. લગ્નની વિધિનો પ્રારંભ નંદી પૂજાથી થશે જે દીપિકાની માતા કરશે.