બોલિવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં જ માનસિક સ્વાસ્થ્યને લઇને લેક્ચર સીરિઝની શરૂઆત કરી છે. એક સમયે પોતે પણ ડિપ્રેશનનો શિકાર બની ચૂકેલી એક્ટ્રેસનું માનવું છે કે, 4 વર્ષ પહેલા ડિપ્રેશનને લઇને લોકોની જે માનસિકતા હતી તેમાં બદલાવ આવી ચૂક્યો છે. પરંતુ હજુ પણ લોકોને જાગરૂક્ત થવાની જરૂર છે. આ વિશે ખુલીને વાત થવી જોઇએ
.તમને જણાવી દઇએ કે, 2015માં દીપિકાએ માનસિક સ્વાસ્થ્યને લઇને જાગરૂક્તા ફેલાવવા માટે 'ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન' ની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશનમાં તણાવ, ચિંતા અને ડિપ્રેશન વિશે લોકોમાં જાગરૂક્તા ફેલાવવાનું કામ કરવામાં આવે છે.
રવિવારે આ માટેનો પહેવો વર્કશોપ ઇવેન્ટ રાખવામાં આવ્યો હતો, જેમાં શામેલ થવા માટે દીપિકા પોતાના પિતા પ્રકાશ પાદુકોણ, માં ઉજ્જવલા અને બહેન અનિશા પાદુકોણ સાથે દિલ્હી પહોંચી હતી. આ દરમિયાન મુખ્ય વક્તા તરીકે પદ્મશ્રી સિદ્ઘાર્થ મુખર્જી આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડિપ્રેશનને લઇને વાત કરવામાં આવી.
એક્ટ્રેસે કહ્યુ કે, ''મારું માનવુ છે કે, આ વિષય (માનસિક સ્વાસ્થ્ય) પર વાતચીત શરૂ થઇ ગઇ છે. મને નથી લાગતું કે, હવે લોકો તેના વિશે ખરાબ વિચારી રહ્યા છે જેવું ચાર વર્ષ પહેલા હતુ. પરંતુ આપણે હજુ કામ કરવુ જોઇએ. મને લાગે છે કે, મીડિયાએ આ વિષય પર મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં ઇન્ટરવ્યૂ હોય કે પછી કોઇ લેખ હોય.''
તમને જણાવી દઇએ કે, 2013માં દીપિકા ડિપ્રેશનનો શિકાર બની હતી, પરંતુ તે સમયે તેની માતા તેનું ધ્યાન રાખ્યુ અને કરિયરમાં આગળ વધવા માટે મદદ કરી હતી. એક્ટ્રેસે આ વિશે વાત કરતા કહ્યુ કે, ''જ્યારે પણ હું ડિપ્રેશનમાં હતી ત્યારે મારી માતાએ મારા આ લક્ષણ વિશે સૌથી પહેલા મને જાણ કરી અને મને કરિયરમાં આગળ વધવા માટે મદદ કરી.''