બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / VIDEO : દીપિકાએ દિલ જીત્યાં! 90 કલાકના કામનું કહેનાર L&T ચેરમેનને તતડાવ્યાં, જાણો શું બોલી?
Last Updated: 10:14 PM, 9 January 2025
'કર્મચારીઓએ 90 કલાક કરવું જોઈએ', તેવી L&T ચેરેમન એસએન સુબ્રમણ્યમની સલાહ પર બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ભડકી છે. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, "આટલા મોટા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ માટે આ પ્રકારનું નિવેદન આપવું ખૂબ જ આશ્ચર્યજનક છે." દીપિકાએ આ પોસ્ટમાં હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે, જે છે metalhealthmatters. એટલે કે આ હેશટેગ દ્વારા દીપિકા કહેવા માંગે છે કે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
Deepika Padukone calls out L&T Chairman’s suggestions that employees should work on Sundays
— Deepika Padukone Fanpage (@DeepikaAccess) January 9, 2025
“Shocking to see people in such senior positions make such statements. #mentalhealthmatters” #DeepikaPadukone pic.twitter.com/XUpixCXdrb
શું બોલ્યાં L&T ચેરમેન એસએન સુબ્રમણ્યમ?
ADVERTISEMENT
L&T ચેરેમન એસએન સુબ્રમણ્યમે એવું કહ્યું હતું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મને ખેદ છે હું તમને રવિવારે કામ કરવા માટે સક્ષમ નથી. જો હું તમને રવિવારે પણ કામ પર લઈ જઈ શકું તો મને ખૂબ આનંદ થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. તેમણે કામના કલાકો વધારવાની હિમાયત કરી હતી. એસએન સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ વીકએન્ડનો સમય ઘરે ન પસાર કરવો જોઈએ. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? તમારી પત્ની ક્યાં સુધી તમારી સામે જોઈ શકે છે? કર્મચારીઓએ રવિવારે પણ ઓફિસમાં આવીને કામ કરવું જોઈએ.
L&T Chairman S.N. Subrahmanyan: Work on Sundays! 'How long can you stare at your wife?
— Business Today (@business_today) January 9, 2025
Watch: https://t.co/BeHKx0SvmH | #LarsenAndToubro #SNSubrahmanyan #WorkCulture #NarayanaMurthy #ChinaWorkCulture pic.twitter.com/TLSY4nFAu2
નારાયણ મૂર્તિએ શું કહ્યું હતું?
ઓક્ટોબર 2023માં નારાયણ મૂર્તિએ પણ લોકોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે ભારતના યુવાનોએ ચીન જેવા દેશોથી આગળ જવા માટે વધારાના કલાકો કામ કરવાની જરૂર છે. ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે. તેમના નિવેદન પર ભારે ચર્ચા અને વિરોધ થયો હતો. બાદમાં તેમણે કહ્યું કે 70 કલાકની સંખ્યા મહત્વની નથી, પરંતુ સખત મહેનત મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT