ઓડિશામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જ્યારે બીજી તરફ માલકાનગીરી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાંથી પસાર થતી નદીઓનું જળસ્તર વધી જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
રાજ્યના કેટલાંક જિલ્લાનો સંપર્ક અન્ય શહેરો સાથે કપાઈ ગયો છે. કંધમાલ, ગંજામ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો કાશીનગર રોડ પરથી 3 ફૂટ સુધી પાણી વહી રહ્યા છે. ભારે વરસાદના કારણે ગામમાં ફસાયેલા 650 લોકોને બચાવવામાં આવ્યા છે. તો 326 નંબર રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. કોરુકોણ્ડા અને તાલકોટા બ્રિજ પરથી પણ પાણી વહેતા વાહનવ્યવહારને અસર થઈ રહી છે. આ સાથે જ સ્કૂલો અને કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
ઓડિશામાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. ઓડિશાના માલકાનગીરી ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીમાં ભારે પૂર આવતાં નદીના પ્રવાહમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. નદીના પાણી આસપાસના વિસ્તારોમાં પણ ફરી વળ્યા હતા. ત્યારે NDRFની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. NDRFની ટીમે નદીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સીડીનો ઉપયોગ કર્યો. ત્યાર બાદમાં એક પછી એક એમ તમામ લોકોને ત્યાંથી સુરક્ષિત કાઢી લીધા હતા.
Odisha: The road connecting Kashinagar to Kidigan in the Gajapati district has been flooded, affecting movement on the road. Around 650 people have been evacuated from Kashinagar block and moved to safe shelters. (7.8.19) pic.twitter.com/nB4rcBDUW9
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં ભારે વરસાદ, રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા પાણી
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શ્રીકાકુલમ અને તેની આસપાસના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. જેના કારણે અનેક લોકો પાણીમાં ફસાયા છે. જ્યારે ભારે વરસાદથી લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં સર્જી શકે છે વિકટ પરિસ્થિતિ
મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો મધ્યપ્રદેશના 28 જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે. આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદ થવાથી મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની કેટલીક નદીઓ મધ્યપ્રદેશમાંથી આવતી હોવાથી પૂરની શક્તાઓ સર્જાઈ શકે છે. જ્યારે મધ્યપ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે.