શારીરિક સંબંધ એ લગ્ન જીવનનો એક પાર્ટ છે. એમાં પાર્ટનર એક બીજા સાથે સારો સમય વિતાવે છે. ત્યારે એક સંશોધન દ્વારા બહાર આવ્યું છે કે કઇ ઉંમરના લોકો વધારે શારીરિક સંબંધ બાંધે છે.
સામાન્ય રીતે શારીરિક સંબંધ બાંધવા માટે કોઇ ઉંમર હોતી નથી. એ તમારી ખુશી પર નિર્ભર કરે છે કે તમે પોતાની વધતી ઉંમરમાં યૌન સંબંધને કેવી રીતે સારા બનાવે છે. જો કે એક શોધમાં શારીરિક સંબંધને લઇને એક ખુલાસો થયો છે. આ સંશોધનમાં ઉંમરના હિસાબથી આખા વર્ષમાં શારીરિક સબંધ બનાવવાને લઇને આંકડા રજૂ કરવામાં આવ્યા છે.
શોધમાં સામે આવ્યું છે કે 18 થી 19 વર્ષના લોકો વર્ષમાં 112 વખત સંબંધ બનાવે છે. જ્યારે 30 થી 39 વર્ષના લોકો સરેરાશ 86 લખત સંબંધ બાંધે છે જ્યારે 40 થી 49 વર્ષના લોકોમાં આ આંકડો 69 છે.
આ શોધમાં 13 ટકા લોકો એવા હતા જેમને લગ્ન બાદ વર્ષ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાનો ઓછો કરી દીધો હતો. તો 45 ટકા લોકો એવા લોકો છે જે મહિનામાં થોડાક જ દિવસ સંબંધ બાંધે છે.
લગ્ન બાદ શારીરિક સંબંધ પર જવાબદારીઓના કારણ અસર કરે છે. હેક્ટિક વર્ક શેડ્યૂલ, ઘરના કામમાં વ્યસ્તતાના કારણે લોકો આ વસ્તુ માટે સમય નિકાળી શકતા નથી.
વિશેષજ્ઞો અનુસાર ઉંમર વધવાની સાથે સાથે લોકોમાં બિમારીઓ પણ વધવા લાગે છે જેના કારણે શારીરિક સંબંધ બાંધી શકતા નથી.
જો કે એ વાતનું ધ્યાન રાખો કે સેક્સનો મતલબ થાય છે પોતાના જીવનસાથી સાથે સારો સમય વિતાવવો.