ગુજરાતમાં પેટાચૂંટણી બાદ કોરોના વકર્યો હતો, જો કે, મે મહિનાની શરૂઆતથી જ કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે પરંતુ ચિંતા યથાવત છે ત્યારે સુરતથી મહત્વના સમાચાર આવ્યા છે.
સુરતમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો
24 એપ્રિલે સૌથી વધુ 2321 કેસ નોંધાયા હતા
ગઇકાલે કોરોનાના 1214 કેસો નોંધાયા
મળતી જાણકારી પ્રમાણે, સુરતમાં 12 દિવસમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનાની 24 તારીખે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના 2321 કેસ નોંધાયા હતા. જો કે, ત્યારબાદ ગઇકાલે (04-05-2021)ના રોજ કેસમાં ઘટાડો થઇને માત્ર 1214 કેસ જ નોંધાયા છે. આમ કોરોના સંક્રમણ ઉત્તરોત્તર ઘટી રહ્યું તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આ સાથે જ છેલ્લા 6 દિવસમાં નવા કેસોની સરખામણીએ ડિસ્ચાર્જ થનારી સંખ્યા પણ વધારો નોંધાયો છે. જે નીચેના આંકડા પરથી સમજી શકાય છે.
તારીખ
નવા કેસ
સાજા થયા
28April
1764
1620
29April
1836
1890
30April
1737
2020
1May
1795
2119
2May
1494
2316
3May
1309
2290
4May
1214
2165
રિકવરી રેટમાં પણ થયો વધારો
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દરરોજ સાંજના સમયે જાહેર કરવામાં આવતી પ્રેસનોટ પ્રમાણે સુરતમાં ગઇકાલે 18,366 એક્ટિવ કેસ હતા.તો રિકવરી રેટ પણ વધીને 78 ટકાની આસપાસ પહોંચ્યો છે. આ વાત જણાવે છે. સુરતમાં કોરોના સંકટ હળવું થઇ રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,050 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 130 લોકોના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 131 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7779 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 12,121 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,64,396 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 778 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,48,297 પર પહોંચ્યો છે.