અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો હોવાની વાત ભલે થોડી રાહત આપનારી હોય પણ કોરોનાથી વધેલા મોતના આંકડા તમને ડરાવી શકે છે.
કોરોનાથી થતા મોતમાં ખુલાસો
41 લોકોએ ન લીધી હતી વેક્સિન
વેક્સિન ન લેનારાના મોત વધુ
અમદાવાદમાં કોરોનાથી થતા મોતને લઇ મોટા સમાચાર
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો હોવાની વાત ભલે થોડી રાહત આપનારી હોય પણ કોરોનાથી વધેલા મોતના આંકડા તમને ડરાવી શકે છે. તેમાંય વાત કરીએ અમદાવાદની તો શહેરમાં છેલ્લા 10 દિવસમાં 30 થી વધુ લોકોનું કોરોનામાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. આમ છેલ્લા થોડા દિવસથી પણ કોરોનાથી મોતના આંક સતત નોંધાઈ રહ્યા છે. જે ત્રીજી લહેર કેટલી ગંભીર છે તેની સાબિતી આપે છે.
70 ટકાથી મૃતકો 45 વર્ષ કરતાં ઉંમરના છે
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના મૃત્યુઆંકે ચિંતા વધારી છે. તેમાય અમદાવાદમાં તો છેલ્લા 15મી જાન્યુઆરી થી 25મી જાન્યુઆરી સુધી એટલે કે, 10 દિવસોમાં કુલ 30 લોકોના કોરોનાથી કારણે મોત નીપજ્યું છે. જેમાંથી 12 મૃતકોએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો ન હતો. જ્યારે 5 મૃતકોએ વેક્સિનનો બીજો ડોઝ લેવાનું ટાળ્યું હતું. આ સાથે આ મૃતાંકમાં 73 ટકા મૃતકો 45 વર્ષ કરતાં વધુ ઉંમરના છે.