કોંગ્રેસની લોકસભા ચૂંટણી 2019 માટે 7 નવા ઉમેદવારોના નામોનું એલાન કર્યું છે. કોંગ્રેસની નવી યાદી બિહાર, જમ્મૂ કાશ્મીર, મધ્યપ્રદેશ અને પંજાબ માટે ઉમેદવારોનું નામ સામેલ છે. મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, પંજાબની આનંદપુર સાહેબ બેઠક પરથી મનીષ તિવારીને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસે 7 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. મનીષ તિવારીને આનંદપુર સાહેબથી ટિકિટ આપવામાં આવી છે. 2014માં તબીયત ખરાબ હોવાથી મનીષ તિવારીએ ચૂંટણી લડી ન હતી ત્યારે આ વખતે તેમને આનંદપુર સાહેબથી મેદાને ઉતાર્યા છે.
તો પશ્વિમ ઉત્તરપ્રદેશના પ્રાભારી જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુનાથી ટિકિટ આપવામાં આવી છે. હાલ જ્યોતિરાદિત્ય મધ્યપ્રદેશના ગુનાથી જ સાંસદ છે. આ ઉપરાંત કોંગ્રેસે રાજગઢથી મોના સુસ્તાનીને મેદાને ઉતાર્યા છે. તો વિદિશાથી શૈલેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. આ નવી યાદી સાથે કોંગ્રેસે પોતાના કુલ 386 ઉમેદવાર જાહેર કરી દીધા છે.
Congress party releases their list of 7 candidates for #LokSabhaElections2019 Jyotiraditya Scindia to contest from Guna (Madhya Pradesh) and Manish Tewari to contest from Anandpur Sahib (Punjab). pic.twitter.com/NzjFiLAewo