કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતમાં હજુ વિલંબ થશે. કેટલીક સીટો માટે કોંગ્રેસે સમીકરણ બદલ્યા છે. કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી શિવરાજના નામ માટે મન બનાવી ચુક્યુ છે. સૂત્રોનું મનીએ તો કોંગ્રેસ શિવરાજના જવાબની રાહ જોઈ રહી છે.
તો આ તરફ જામનગર અને જૂનાગઢ માટે કોંગ્રેસ કોર્ટના ચૂકાદાની રાહ જોઈ રહી છે. કોંગ્રેસ જામનગરથી હાર્દિક અને જૂનાગઢથી ભગવાન બારડને ટિકિટ આપવા મક્કમ છે. તો બીજી તરફ પાટણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર લડશે કે જગદીશ ઠાકોર તે પાર્ટીએ બંને નેતા પર જ છોડ્યું છે.
તમને જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણીને હવે મહિનો બાકી છે. આગામી 23 એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. જો કે હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નથી કરાયા. તો રાજકોટમાં પસંદગી મુદ્દે કોંગ્રેસમાં પરિસ્થિતિ વધુ અઘરી છે. કોંગ્રેસમાં શિવરાજ પટેલના નામ પર વિચારણા કરાઇ રહી છે. તો હિતેશ વોરા અને લલિત કગથરાનું નામ પણ રેસમાં છે. ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં એક કરતા વધુ જૂથો ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ટિકિટ વહેંચણી બાદ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠશે તે નક્કી છે.