અમદાવાદ: મણીનગર ખાતે આવેલી સી.એસ.સિમરીયા ગર્લ્સ કોલેજને એકાએક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આથી 600થી વધુ વિદ્યાર્થીનીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
જો કે આ વિવાદ છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો હતો. આ મુદ્દે અગાઉ NSUIએ પણ વિરોધ નોંધાવ્યો હતો. કોલેજના ટ્રસ્ટી અને સંચાલકો જો કે બધો જ વાંક ગુજરાત યુનિવર્સિટી પર ઢોળી રહ્યાં છે.
યુનિવર્સિટીના આાદેશને પગલે આા કોલેજ બંધ કરવામાં આવી રહી હોવાનો બચાવ સંચાલકો કરી રહ્યાં છે. UGCના નિયમ પ્રમાણે કોલેજ ચાલુ કરવા માટે બે એકર જેટલી જમીન જોઇએ. જે કોલેજ એક્વાયર નહી કરી શકતા તાળા મારવાનો વારો આવ્યો હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યુ હતું.
કોલેજ એકાએક બંધ થતાં 600થી વધુ વિદ્યાર્થીનીઓ માટે હવે અન્ય મોંઘી અને દૂરની સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં પ્રવેશ મેળવવાનું અઘરુ બન્યુ છે.