રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મામલતદાર અને નાયબ મામલતદાર સહિત 83 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય
32 મામલતદારની કરાઇ બદલી
51 નાયબ મામલતદરોની બઢતી સાથે બદલી
રાજ્યમાં જુદા જુદા વિભાગમાં ચાલી રહેલ બદલી, બઢતીનો દૌર હજુ પણ યથાવત રહ્યો છે. જેમાં પોલીસ વિભાદમાં મોટા પાયે બદલી બાદ આજે મહેસૂલ વિભાગના નાયબ સચિવ અમિત ઉપાધ્યાય દ્વારા વધુ એક વખત મામલતદાર વર્ગ-2ના 32 અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત 51 નાયબ મામલતદરોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. 32 મામલતદાર અને 51 નાયબ મામલતદાર સહિત 83 અધિકારીઓની બદલી સાથે બઢતીના ઓર્ડર કરવામાં આવતા બદલી ચર્ચાનો વિષય બની છે.