ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, દર્દીને RT-PCR રિપોર્ટ વગર પણ સારવાર અપાશે
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારનો નિર્ણય
કોરોના લક્ષણો ધરાવતા દર્દીને દાખલ કરવો પડશે
કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, દર્દીને RT-PCR રિપોર્ટ વગર પણ સારવાર અપાશે. કોરોના લક્ષણો ધરાવતા દર્દીને પણ દાખલ કરવા પડશે. RT-PCR રિપોર્ટ વિના પણ દર્દીઓને દાખલ થઈ શકશે.
મહત્વનું છે કે, IMA ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર ડોક્ટર મુકેશે ગુજરાતના લોકોને મહત્વની અપીલ કરી છે. VTV સાથેની વાતચીતમાં ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ ન કરાવવો જોઇએ.
લેબ પર વધી જાય છે ભારણ
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થયાંના થોડા દિવસો પછી લોકો ફરી RT-PCR કરાવે છે. ફરી તરત જ RT-PCR તેના લીધે લેબ પર ભારણ વધી રહ્યાં છે.
અમદાવાદની હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી
અમદાવાદમાં કોરોના સંક્રમણ મુદ્દે આંશિક રાહત મળી છે. શહેરની હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં વધારો થયો છે. ICU અને ઓક્સિજન સાથેના 571 બેડ ખાલી હોવાની માહિતી સામે આવી છે. 6 સિવિલ હોસ્પિટલમાં 43 બેડ ખાલી છે. તો SVPમાં 8 બેડ, ખાનગી હોસ્પિટલમાં 281 બેડ ખાલી છે. અને નર્સિંગ હોમ્સમાં 232 બેડ ખાલી હોવાની માહિતી સામે આવી છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,545 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 123 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 123 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8035 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 13,021 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,90,412 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 786 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,30,30,257 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,30,30,257 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3884 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1039 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 388 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 638 કેસ, જ્યારે ગ્રામ્યમાં 380 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 526 કેસ અને ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...