વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે જમ્મુ-કાશ્મીર માટે રાજકીય ભાષા બિલ સરકાર લાવી છે, સાથે જ તેમણે કહ્યું હતું કે સરકારી અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે કર્મયોગી યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.
સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી યોજનાને મંજૂરી
જમ્મુ કાશ્મીર માટેનું રાજભાષા બિલ પસાર
નવી યોજના સરકારી કર્મીઓના ક્ષમતા વિકાસ માટે છે: જાવડેકર
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગયા અઠવાડિયે સરકારી નોકરીઓમાં ભરતી માટે વિવિધ પરીક્ષાઓની ભરતી પ્રક્રિયાને દૂર કરવા અને તે માટે સમાન પરીક્ષા લેવાની વાત થઈ હતી. આજે કેબિનેટે કર્મયોગી યોજનાને મંજૂરી આપી દીધી છે, જે સરકારી અધિકારીઓના ક્ષમતા વિકાસ માટેની સૌથી મોટી સરકારી યોજના સાબિત થશે.
જમ્મુ કાશ્મીર માટે ભાષા બિલ લાવવામાં આવ્યું
કેન્દ્રીય પ્રધાન જાવડેકરે કહ્યું કે, કેબિનેટે સંસદમાં જમ્મુ કાશ્મીર માટે સત્તાવાર ભાષા બિલ 2020 રજૂ કરવાની મંજૂરી આપી છે, જેમાં 5 ભાષાઓ ઉર્દુ, કાશ્મીરી, ડોગરી, હિન્દી અને અંગ્રેજી સત્તાવાર ભાષાઓ હશે. જાહેર માંગણીના આધારે આ ભાષાવન તેમ સમાવવામાં આવી છે.
કર્મયોગી યોજનાને મળી મંજૂરી
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે કર્મયોગી યોજના અંતર્ગત સિવિલ સર્વિસના લોકો નવી ટેકનોલોજી અને તેમની સંભવિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રયાસો કરે તે માટેની આ યોજના છે , જેના માટે વ્યક્તિગત સ્તરથી સંસ્થાકીય કક્ષા સુધીના વિકાસ પર ભાર મુકવામાં આવશે.
તેમણે કહ્યું કે ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ ટ્રેનિંગના સેક્રેટરીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ એક HRકાઉન્સિલની રચના કરવામાં આવશે, જેનું કામ સમગ્ર મિશન હેઠળની નિમણૂક અંગે નિર્ણય લેવાનું રહેશે. તેમજ આ યોજના માટે મોટા પાયે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું 3 MOUને અપાઈ છે મંજૂરી
પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ એમઓયુઓને મંજૂરી આપી છે. જેમાં પહેલું કાપડ મંત્રાલય અને જાપાન વચ્ચે કપડાંની ગુણવત્તા આકારણી પદ્ધતિ માટે, બીજું ખાણ મંત્રાલય અને ફિનલેન્ડની વચ્ચે અને ત્રીજું ઉર્જા મંત્રાલય અને ડેનમાર્કની વચ્ચે થશે.
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ડોગરી, હિન્દી અને કાશ્મીરીને સત્તાવાર ભાષાઓ તરીકેની માંગણી લાંબા સમયથી પડતર હતી, જેને આ બિલમાં સમાવવામાં આવે છે, પરંતુ 5 ઓગસ્ટ 2019 પછી સમાનતાની ભાવનાને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કાશ્મીરમાંથી આર્ટીકલ 370ને દૂર કરાયું હતું.