ગાંધીનગરઃ ગુજરાત તલાટી કર્મચારી મહામંડળ દ્વારા સરદાર એકતાયાત્રાથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પડતર માંગણીઓને લઇને સરકારથી નારાજ તલાટીઓ દ્વારા સરકાર પાસે અનેક વખત રજૂઆત છતાં પરીણામ ન મળતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. તલાટી મહામંડળે 22 ઓક્ટોબરથી તલાટીઓની અનિશ્ચિત સમયની હડતાળની જાહેરાત કરી છે.
જાહેરાત કરતા મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે તલાટીઓની ઓડિટર માંગણીઓ બાબતે સરકાર સામે અનેકવખત રજુઆત કરી છે. ગાંધીનગરમાં ધરણા કરવા છતાં સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન થતા 22 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ કરીશું. ગ્રામજનોને પહોંચનાર અસુવિધા માટે અમે દિલગીર છીએ.
વધુમાં તેમણે કહ્યું કે સર્કલ ઇન્સ્પેકટરની પોસ્ટ અપગ્રેડ કરી અમલવારીમાં નાણાકીય લાભ થતો નથી. જૂની પેન્શન યોજના શરૂ કરવી. પંચાયત અને મહેસુલ ના જોબચાર્ટ યોગ્ય કરવામાં આવે. એક તલાટી એક ગામ સોંપવામાં આવે. સરકારની તમામ પ્રકારની કામગીરી ખોરવાશે. તલાટી વિકાસના પાયામાં છે હાલની યોજનાઓમાં પણ મહત્વનો રોલ અમારો છે. સાચી માંગણી સરકાર સ્વીકારે અમારી વાત કોઈ સાંભળતું નથી. 11 હજાર તલાટીઓ હડતાલમાં જોડાશે અમે લીગલ એડવાઇઝર નિમ્યા છે હાઇકોર્ટ સુધી લડવા અમે તૈયાર છીએ.