ર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી એક નેતાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
ભરતસિંહ સોલંકી વહેલી સવારે દિલ્હી પહોંચ્યા
પ્રદેશ અધ્યક્ષ, નેતા વિપક્ષ અને પ્રભારીના નામ થશે જાહેર
ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચતા કોંગ્રેસમાં હલચલ શરૂ થઇ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ધરખમ ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે જેને પગલે કોંગ્રેન સિનિયર નેતા ભરતસિંહ સોલંકી વહેલી સવારે દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં ગમે તે ઘડી એ નવા પ્રદેશ અધ્યક્ષ, નેતા વિપક્ષ અને પ્રભારીનું નામ થઇ શકે છે મહત્વનું છે કે ભરતસિંહ સોલંકીએ શનિવારે એક ખાનગી ફાર્મ હાઉસમાં ખાનગી બેઠક કરી હતી.જેમાં કેટલાક ધારાસભ્યો અને આગેવાનો સાથે ભરાતસિંહે બેઠક કર્યો બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારોના એંધાણ વર્તાઈ ચુક્યા છે.
ભરતસિંહ સોલંકી વહેલી સવારે દિલ્હી પહોંચ્યા
ગુજરાત કોંગ્રેસમાં ફેરબદલની ચર્ચા વચ્ચે કોંગ્રેસના નેતાઓ દિલ્લી પ્રવાસે છે. ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચતા કોંગ્રેસમાં હલચલ શરૂ થઇ ગઇ છે. ભરતસિંહ સોલંકીએ નેતાઓ અને ધારાસભ્યો સાથે ફાર્મ હાઉસમાં બેઠક યોજી હતી. જેમાં ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યો અને નેતાઓ હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ બેઠકમાં હાજર હતા. ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષ, નેતા વિપક્ષ અને પ્રભારીનું નામ જાહેર થઇ શકે છે તેવું વર્તાઈ રહ્યું છે.
કોંગ્રેસમાં ધરખમ ફેરફારો એંધાણ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. ત્યારે અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી એક નેતાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
કોંગ્રેસમાં હલચલ શરૂ થઇ
તો બીજી તરફ પુંજા વંશ અને શૈલેષ પરમાર માંથી એક ધારાસભ્યને વિપક્ષના નેતાનું પદ મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે પુંજા વંશ નવા નેતા વિપક્ષ બને તેવી પ્રબળ શક્યતા છે. જો અર્જુન મોઢવાડીયા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનશે તો શૈલેષ પરમાર વિપક્ષના નેતા બની શકે છે.