સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે તંત્ર સજ્જ બન્યું સિવિલના નર્સિંગ સ્ટાફને આગોતરી તાલીમ આપવાનું શરૂ
રાજ્યમાં ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર
ઓક્સિજન-વેન્ટિલેટર બેડની સંખ્યા ડબલ કરાશે
દવા, ઓક્સિજન સપ્લાય વધારવા ખરીદી શરૂ
કોરોની બીજી લહેર બાદ હવે સંભિવત ત્રીજી લહેરો ખરતો જોવાઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. કોરોનાની વિપરિત પરિસ્થિતિમાં આરોગ્ય સેવાઓ કથડે નહીં તે માટે અગાઉથી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અગાઉ બીજી લહેરમાં નાગરિકોને અનેક પારાવાર મુશ્કેલીઓનો સામાનો કરવો પડ્યો ઓક્સિજના અભાવથી લઈને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે પણ લાંબી કતારો જોવા મળી હતી. તો અનેક દર્દીઓએ આરોગ્ય સુવિધાને અભાવે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
ઓક્સિજન-વેન્ટિલેટર બેડની સંખ્યા ડબલ કરાશે
હવે રાજ્યમાં આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બીજી લહેરમાં કોરોનાના કેસ વધતા રાજ્યની અનેક હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ખૂટી પડ્યા હતા. ત્રીજી લહેરની આગોતરી તૈયારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિ. એ ઓક્સિજન બેડની સંખ્યા બમણી કરવા પ્લાનિંગ કર્યું છે.
દવા, ઓક્સિજન સપ્લાય વધારવા ખરીદી શરૂ
એટલું જ નહી એસવીપી, વીએસ, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં અત્યાર સુધી ઓક્સિજનની જુદીજુદી કેટેગરીના 1,006 બેડ હતા જેમાં 1,241 બેડનો વધારો કરવા નિર્ણય કર્યો છે. આ સાથે હવે મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં ઓક્સિજન, આઈસીયુ વેન્ટિલેટર વગર અને આઈસીયુ વેન્ટિલેટર સહિત બેડની સંખ્યા 2,247 થશે સાથે જ સિવિલના નર્સિંગ સ્ટાફને આગોતરી તાલિમ આપવાનું શરૂ કરી દેવાયું છે. કોવિડના દર્દીઓની સારવાર કરવા માટેની સઘન તાલીમ આપવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે શરૂ કરી આ તૈયારીઓ
રાજ્ય સરકારે પણ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ધ્યાને રાખી અત્યારથી જ રેમડેસિવિર, ટોસિલિઝુમેબ, એન્ટિવાઈરલ અને એન્ટિબાયોટિક દવાઓની ખરીદી કરવા પ્લાનિંગ શરૂ કર્યું છે. એટલું જ નહીં સરકારે પીએસએ પ્લાન્ટ, ઓક્સિજન કોન્સનટ્રેટર અને જુદી જુદી ઓક્સિજન એજન્સી સાથેનું કોઓર્ડિનેશન કરવા અધિકારીઓને જવાબદારી સોંપી દીધી છે ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવા અને ખાસ કરીને પિડિયાટ્રિક આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
કોરોનાના 7 નવા કેસ, વધુ 38 હજારને રસી
જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. જો કે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે 7 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.