રાજ્ય સરકાર નિર્ણય નહીં કરે તો અમે કરીશું-હાઈકોર્ટ
હાઈકોર્ટની એક ખંડપીઠે રાજ્યની ટીઆરએસ સરકારને જણાવ્યું કે જો રાજ્ય સરકાર 48 કલાકની અંદર લોકડાઉન અંગેનો નિર્ણય નહીં લેય તો હાઈકોર્ટને લોકડાઉનનો ઓર્ડર કરવાની ફરજ પડશે. હાઈકોર્ટે હવે આ કેસની શુક્રવારે સુનાવણી કરશે. લોકડાઉન અંગેના એક કેસની સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને બીજી પણ કેટલીક સૂચનાઓ આપી હતી અને સરકાર પાસેથી પૂરા રિપોર્ટની માંગ કરી હતી.
સોમવારે જારી થયેલા આંકડા અનુસાર તેલંગાણામાં અત્યાર સુધી 4009 લોકોને કોરોના થયો છે જ્યારે 14 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3.55 લાખને પાર પહોચી છે જ્યારે મૃતકોની સંખ્યા વધીને 1838 થઈ છે.
એક્ટિવ કેસ 19 લાખને પાર
સંક્રમણના મામલામાં સતત 39 માં દિવસે વૃદ્ધિ થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 19 લાખને પાર થઈ ગઈ છે. હાલમાં કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 19,23,877 છે. જે કુવ એક્ટિવ કેસની સંખ્યાના 12.76 ટકા છે.
સાજા થનારાનો દર ઘટીને 86 ટકા થયો છે.
કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 86 ટકા રહી ગયો છે. આંકડા મુજબ આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,29,48,848 થઈ છે. અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થયો છે.
82 ટકા મોત ફક્ત આ 8 રાજ્યોમાં
દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 503 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 161, છત્તીસગઠમાં 170, યુપીમાં 127, ગુજરાતમાં 110, કર્ણાટકામાં 81,પંજાબમાં 68 અને મધ્ય પ્રદેશમાં 66 લોકોના મોત થયા છે. આ 8 રાજ્યોમાં કુલ 1286 મોત થયા છે. જે 1570 મોતના 81.9 ટકા છે.