પ્રધાનમંત્રી મોદીએ રવિવારે જાહેરાત કરી કે શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંહના ચાર પુત્રોની શહાદતના માનમાં 26 ડિસેમ્બરનો દિવસ વીર બાલ દિવસ તરીકે ઉજવાશે.
26 ડિસેમ્બરે ઉજવાશે 'વીર બાલ દિવસ
શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંહના ચાર પુત્રોની શહાદતના માનમાં ઉજવાશે દિવસ
પ્રધાનમંત્રી મોદીએ રવિવારે કરી જાહેરાત
પ્રધાનમંત્રી મોદીએ ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વના અવસરે આ જાહેરાત કરતા ટ્વિટ કર્યું કે આ સાહેબજાદાના સાહસ અને ન્યાય સ્થાપનાની તેમની કોશિશને ઉચિત શ્રદ્ધાંજલિ છે. પીએમ મોદીએ કહ્યું કે વીર બાલ દિવસ એ દિવસે મનાવાશે કે જ્યારે સાહેબજાદા જોરાવર સિંહજી અને સાહેબજાદા ફતેહસિંહજીને દિવાલમાં જીવતા ચણાવી દેવાયા હતા જે પછી તેમણે શહાદત વહોરી હતી. આ બે મહાન હસ્તીઓએ ધર્મના મહાન સિદ્ધાંતોથી વિચલિત થવાને બદલે મોતની પસંદગી કરીય માતા ગુજરી, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી અને ચાર સાહેબજાદાની બહાદુરી તથા આદર્શોએ લાખો લોકોને તાકાત આપી.
Today, on the auspicious occasion of the Parkash Purab of Sri Guru Gobind Singh Ji, I am honoured to share that starting this year, 26th December shall be marked as ‘Veer Baal Diwas.’ This is a fitting tribute to the courage of the Sahibzades and their quest for justice.
પ્રધાનમંત્રી મોદીએ શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહના બે પુત્રોની શહાદતના માનમાં વીર બાલ દિવસની ઉજવણીની જાહેરાત કરી છે. 26 ડિસેમ્બર 1704ના દિવસે ગુરુ ગોવિંદસિંહના બે પુત્રોને મોગલોએ દિવાલમાં જીવતા ચણાવીને શહીદ કરી દીધા હતા.
‘Veer Baal Diwas’ will be on the same day Sahibzada Zorawar Singh Ji and Sahibzada Fateh Singh Ji attained martyrdom after being sealed alive in a wall. These two greats preferred death instead of deviating from the noble principles of Dharma.
પીએમ મોદીએ આગળ લખ્યું કે તેમણે ક્યારેય પણ અન્યાય આગળ માથું ન ઝુકાવ્યું અને સમાવેશ અને સૌહાર્દપૂર્ણ વિશ્વની કલ્પના કરી. આ સમયની માગ છે અને લોકોને તેમના અંગે જાણકારી મળવી જોઈએ.
Welcome PM @narendramodi ji’s decision to mark 26th December as ‘Veer Baal Diwas’. The courage portrayed by Sahibzades under enormous oppression is unparalleled & everyone across the globe must know about their supreme sacrifice. This is a commendable step in that direction. https://t.co/KWgvwjIFVk
જાણો ઈસ્લામી અત્યાચારની ભયાનક કહાની
ઈ.સ.1704 ની 20 ડિસેમ્બરે મોગલ સેનાએ દિલ્હીના આનંદપુર સાહેબ કિલ્લા પર હુમલો કર્યો હતો. ગુરુ ગોવિંદસિંહ મોગલોને સ્વાદ ચખાડવા માગતા હતા પરંતુ તેમના દળમાં સામેલ શીખોએ ખતરાને જોતા ત્યાંથી જતા રહેવાનું યોગ્ય માન્યું. ગુરુ ગોવિદ સિંહને પણ આ વાત યોગ્ય લાગી અને તેઓ પૂરા પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડીને જતા રહ્યાં. સરસા નદીમાં પાણીનું વહેણ ઘણું ઝડપી હતું. આને કારણે નદી પાર કરતા ગુરુ ગોવિંદસિંહનો પરિવાર વિખૂટો પડી ગયો. ગુરુ ગોવિંદ સિંહની સાથે બન્ને સાહેબજાદા બાબા અજિત સિંહ અને બાબા ઝુઝાર સિંહની સાથે ચમકોર પહોંચી ગઈ પરંતુ માતા ગુજરી અને તેમના બન્ને નાના પુત્ર જોરાવર સિંહ અને બાબા ફતેહસિંહ મોગલના હાથે ઝડપાઈ ગયા. મોગલોએ તેમને ઈસ્લામ અંગીકાર કરવાનું જણાવ્યું પરંતુ તેઓ બન્ને ટસના મસ ન થયા. આખરે મોગલોએ 26 ડિસેમ્બર 1704ના દિવસે બન્નેને દિવાલમાં જીવતા ચણાવી લીધા તથા માતા ગુજરીને સરહિંદના કિલ્લા પરથી ધક્કો મારીને મારી નખાયા હતા.