કોંગ્રેસે શનિવારે મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલોને ટાંકીને દાવો કર્યો હતો કે દેશનું કુલ દેવું વધીને 88.18 લાખ કરોડ થઈ ગયું છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે 'ભારતમાં બધુ ઠીક છે'. પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ આરોપ લગાવ્યો હતો કે સરકાર સામાન્ય લોકોને રાહત આપવાને બદલે કોર્પોરેટ જગતને રાહત આપી રહી છે.
ભારતમાં બધુ બરાબર નથી : કોંગ્રેસ
દેશનું દેવુ ચાર ટકા વધીને 88.18 લાખ કરોડ થયું
ચિંતાનો વિષય
તેમણે પત્રકારોને જણાવ્યું કે, "ભારતમાં બધું સારું છે એમ કહેવાથી બધું સારું નથી થઇ જતું" સુપ્રિયાએ કહ્યું, 'ભારતનું દેવું આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને 88.18 લાખ કરોડ થયું છે. આ પહેલા પ્રથમ ત્રિમાસિક ગાળા કરતા લગભગ ચાર ટકા વધારે છે. જે ચિંતાનો વિષય છે. '
સામાન્ય લોકોને ખાવાના ફાંફાને કોર્પોરેટ ટેક્સમાં કરાઇ રહ્યો છે ઘટાડો
તેમણે કહ્યું, 'ફ્રાન્સની એક મહારાણીએ કહ્યું કે બ્રેડને બદલે કેક ખાવા. લાગે છે કે આ સરકાર પણ આ માર્ગે ચાલે છે. તેમને સ્થાનિક વાસ્તવિકતાનો ખ્યાલ નથી. સામાન્ય લોકો પાસે પૈસા નથી અને તેઓ કોર્પોરેટ ટેક્સ ઘટાડી રહ્યા છે.
દેવાના દરમાં થશે વધારો
કોંગ્રેસના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે "કોર્પોરેટ્સ તેમના ખાતા નક્કી કરશે અને રોકાણ કરશે નહીં." સરકાર જે પગલાં લઈ રહી છે તેનાથી દેવાના દરમાં વધારો થશે. આ સરકાર ખૂબ જ ટૂંકા ગાળાના વિચાર સાથે કામ કરી રહી છે.