1 જાન્યુઆરી 2021થી ડેબિટ અને ક્રેડિટ કાર્ડની મદદથી કોન્ટેક્ટલેસ લેનદેનની લિમિટ વધારાશે. હાલમાં આ લિમિટ 2000 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનની છે. જે વધીને 5000 રૂપિયા સુધી થશે. આરબીઆઈએ આ નવા નિયમ સંબંધિત તમામ જાણકારી આપી છે.
બદલાશે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો આ નિયમ
1 જાન્યુઆરી 2021થી લાગૂ થશે નવો નિયમ
કોન્ટેક્ટલેસ લેનદેનની લિમિટ વધારાશે
ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે આ મહિનાની શરૂઆતમાં જાણકારી આપી હતી. તેના આધારે હવે કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની મદદથી 5000 રૂપિયા સુધીનું પેમેન્ટ કોઈ પણ પિન વિના કરી શકાશે. આ નિયમ 1 જાન્યુઆરી 2021થી લાગૂ થશે. આ પહેલા આ લિમિટ 2000 રૂપિયા સુધીની હતી. આ કાર્ડ્સની મદદથી તમે પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈને શોપિંગ સુધીનું પેમેન્ટ સરળતાથી કરી શકશો.
શું હોય છે કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ
RuPay દ્વારા આ કાર્ડને નેશનલ કોમન મોબિલિટી કાર્ડની રીતે યૂઝ કરી શકાશે. આ કાર્ડ સ્માર્ટ કાર્ડની જેમ કામ કરશે. દિલ્હી મેટ્રોમાં આવા કાર્ડ ચાલે છે જેને તમે રિચાર્જ પણ કરી શકો છો. હવે દેશમાં દરેક બેંક RuPay ના જે પણ નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરશે તેમાં નેશનલ કોમન મોબેલિટી કાર્ડ ફીચર હશે. તે વોલેટની જેમ કામ કરશે.
શું હોય છે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન
આ ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શનને માટે સ્વાઈપ કરવાની જરૂર રહેતી નથી. પોઈન્ટ ઓફ સેલ મશીનથી કાર્ડનું પેમેન્ટ થાય છે. કોન્ટેક્ટલેસ કાર્ડમાં 2 ટેકનિકનો ઉપયોગ કરાય છે. નિયર ફિલ્ડ કમ્યુનિકેશન અને રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટિફિકેશન. જ્યારે કાર્ડ મશીનછી 2-5 સેન્ટીમીટરની રેન્જમાં હશે ત્યારે પેમેન્ટ જાતે જ થઈ જશે. કાર્ડ મશીનમાં નાખવાની કે સ્વેપ કરવાની ઝંઝટ નહીં રહે. ન તો ઓટીપી કે પિનની જરૂર રહેશે. કાર્ડની લિમિટ 5000ની કરવામાં આવશે અને સાથે એક દિવસમાં વ્યક્તિ 5 કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેમાં વધારે રકમ માટે પિન કે ઓટીપીની જરૂર રહેશે.
આ રીતે મળશે કાર્ડ
આ કાર્ડ મેળવવા માટે બેંકની મદદ લો. આ કાર્ડ પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરાય છે. તેને એટીએમ પર વાપરવાથી 5 ટકા કેશબેક અને વિદેશયાત્રા સમયે મર્ચન્ટ આઉટલેટ પર પેમેન્ટ પર 10 ટકા કેશબેક મળે છે. રૂપે કાર્ડ ડિસ્કવર અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ મર્ચન્ટ સિવાય વિદેશના એટીએમમાં પણ કામ કરે છે. 25 બેંક તેની સુવિધા આપે છે.
કાર્ડ ખોવાઈ જાય અને અન્ય કોઈને મળે તો શું થાય
આ સ્થિતિમાં તમારે તરત જ બેંકને જાણ કરવાની રહેશે કે તમારું કાર્ડ ખોવાઈ ગયું છે અને તેને બ્લોક કરાવવાનું રહેશે. તમારી જાણકારીમાં આવતા પહેલાં કોઈએ શોપિંગ કર્યું છે તો બેંક નુકસાનની ભરપાઈ કરશે.